Western Times News

Gujarati News

યુક્રેનમાં ૧૦૦૦૦ રશિયન સૈનિકો માર્યા ગયા, સનસનીખેજ ખુલાસો

મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો ૨૨ માર્ચે ૨૭મો દિવસ છે. દરમિયાનરશિયન વેબસાઇટને ટાંકીને એક વિશેષ અહેવાલમાં ખુલાસો કર્યો છે કે યુદ્ધમાં લગભગ ૧૦,૦૦૦ રશિયન સૈનિકો માર્યા ગયા છે, જ્યારે ૧૬,૦૦૦ ઘાયલ થયા છે.

જાેકે રશિયા તેને સ્વીકારતું નથી. રશિયન માહિતી અનુસાર, યુદ્ધની શરૂઆતથી તેને ભારે નુકસાન થયું છે. આ આંકડો સરકાર તરફી વેબસાઇટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને દૂર કરવામાં આવ્યો હતો. જાે કે, એવી અટકળો હતી કે ડેટા યુક્રેનિયન તરફી કર્મચારી દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો.

તાજેતરના આંકડાઓ અનુસાર યુક્રેનમાં ૯,૮૬૧ સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે ૧૬,૧૫૩ ઘાયલ થયા હતા. જ્યારે ૧૯૭૯માં અફઘાનિસ્તાનમાં લગભગ ૧૫,૦૦૦ સોવિયત સૈનિકો મૃત્યુ પામ્યા હતા. આ આંકડો છેલ્લા ૧૦ વર્ષમાં સૌથી વધુ છે. જાેકે યુક્રેન દલીલ કરે છે કે તેણે ૧૫,૦૦૦ રશિયન સૈનિકોને માર્યા હતા. મૃત્યુઆંક મોસ્કોના સંરક્ષણ મંત્રાલય દ્વારા અપડેટનો એક ભાગ હતો, જાેકે તેને સરકાર તરફી ટેબ્લોઇડ, કોમસોમોલસ્કાયા પ્રવદાની વેબસાઇટ પરથી ઝડપથી દૂર કરવામાં આવ્યો હતો.

રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને ૨૨ માર્ચે ૨૭ દિવસ થયા છે. આ ૨૭ દિવસમાં યુક્રેનની રાજધાની કિવ સહિત યુક્રેનના દરેક મોટા શહેર રશિયન હુમલામાં તબાહ થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે ૨૪ ફેબ્રુઆરીએ ભારતીય સમય અનુસાર સવારે ૮.૩૦ કલાકે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન પર સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ પછી યુક્રેન પર રશિયન સેનાના હવાઈ હુમલા શરૂ થઈ ગયા. આ હુમલાઓમાં યુક્રેનની રાજધાની કિવ ઉપરાંત ખાર્કિવ, મેરીયુપોલ અને ઓડેસા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયા છે.

અહીં, રશિયન ફાઇટર પ્લેન સતત યુક્રેન પર મંડરાતા જાેવા મળે છે. કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૦ રશિયન એરક્રાફ્ટ યુક્રેનની ઉપર ચક્કર લગાવતા જાેવા મળ્યા છે. બીજી તરફ સુમીમાં કેમિકલ પ્લાન્ટમાં હુમલા બાદ એમોનિયા ગેસ લીક ??થવા લાગ્યો હતો. તેથી, પ્લાન્ટની ૫ કિમીની ત્રિજ્યામાં રહેતા લોકોને તાત્કાલિક ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે. રશિયન સેનાએ કિવના શોપિંગ મોલ્સ પર પણ હુમલો કર્યો હતો. જેમાં ૮ લોકોના મોત થયા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.