Western Times News

Gujarati News

છત્તીસગઢ: આપ દ્વારા મારો સંપર્ક કરવામાં આવ્યો હતો: આરોગ્ય મંત્રી

રાયપુર, છત્તીસગઢમાં સત્તારૂઢ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપના અસંતુષ્ટ નેતાઓનો સંપર્ક કરવાના આમ આદમી પાર્ટીના પ્રયાસને લગતા અહેવાલો વચ્ચે રાજ્યના આરોગ્ય મંત્રી ટી.એસ. સિંહ દેવે કહ્યું કે તેમના માટે કોંગ્રેસથી આગળ વિચારવું મુશ્કેલ છે કારણ કે તેમના પરિવારની પાંચ પેઢીઓ પાર્ટી સાથે જાેડાયેલી છે.

સિંહ દેવ રાયપુર પ્રેસ ક્લબમાં મીડિયા સાથેની અનૌપચારિક વાતચીત દરમિયાન, અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની પાર્ટી દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનો ઇનકાર કર્યો ન હતો.

સિંહ દેવે કહ્યું, “હું અરવિંદ કેજરીવાલ જીને મળ્યો નથી, પરંતુ એ પણ સાચું છે કે રાજકારણમાં ઘણા લોકો સંપર્કમાં રહે છે અને સંપર્કો બનાવે છે. એવું નથી કે લોકોએ મારો સંપર્ક કર્યો નથી, પરંતુ મેં તેમને કહ્યું હતું કે મારા પરિવારની પાંચ પેઢીઓ કોંગ્રેસ સાથે જાેડાયેલી છે અને હું તેનાથી આગળ વિચારી શકતો નથી. મને સોનિયાજી અને રાહુલ માટે ખૂબ માન છે.

તેમણે કહ્યું કે, હું ક્યારેય ભાજપમાં જઈશ નહીં. હું એવી પાર્ટી સાથે રાજકારણમાં આવવા નથી માંગતો જેની સાથે મારા વૈચારિક મતભેદ હોય. હું જનપ્રતિનિધિ તરીકે ત્યાં કામ કરી શકતો નથી. ગત વર્ષે છત્તીસગઢની કોંગ્રેસ સરકારમાં કહેવાતા પાવર શેરિંગ ફોર્મ્યુલા હેઠળ નેતૃત્વ પરિવર્તનની અટકળોને કારણે સંઘર્ષ થયો હતો.

આ ફોર્મ્યુલા હેઠળ ભૂપેશ બઘેલ અને સિંહ દેવ મુખ્ય પ્રધાનનો કાર્યકાળ વહેંચવાના હતા. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવીને સત્તામાં આવેલી કોંગ્રેસે બઘેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. જાે કે, પાર્ટીના એક જૂથે ઘણી વખત દાવો કર્યો છે કે કરાર હેઠળ સિંહ દેવને અઢી વર્ષ પછી મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.