Western Times News

Gujarati News

બાળાસાહેબ ઠાકરેની નાની બહેનનું નિધન: સીએમ ઉદ્ધવે શ્રદ્ધાંજલિ આપી

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ફોઇ અને સ્વર્ગસ્થ બાળાસાહેબ ઠાકરેની નાની બહેન સંજીવની કરંદીકર (૮૪)નું પુણેમાં અવસાન થયું હતું. કરંદીકર પ્રબોધંકર ઠાકરેના પુત્રી હતા.

ફોઇ સંજીવની કરંદીકરના નિધન પર, સીએમ ઉદ્ધવ ઠાકરેએ તેમને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું, ‘તે પ્રબોધંકરની પુત્રી અને બાળાસાહેબની નાની બહેન હતી. તે સૌથી નાની હોવાથી બાળાસાહેબની સૌથી વહાલી બહેન હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તે (કરંદીકર) અમને અમારા દાદા પ્રબોધંકરની વાર્તાઓ સંભળાવતા હતા જે એક શિક્ષિત વ્યક્તિ હતા. તેમના નિધનથી અમારા પરિવાર માટે મોટી ખોટ છે.” નોંધનીય છે કે, કરંદિકરે ભારતીય રિઝર્વ બેંકમાં સેક્શન ઓફિસર તરીકે કામ કર્યું અને પછી પુણેમાં સ્થાયી થયા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.