Western Times News

Gujarati News

અંકલેશ્વરનાં જૂના બોરભાઠા બેટના ખેતરમાં ડુક્કરે પિતા-પુત્ર સહિત ૩ ઉપર હુમલો કર્યો

ડુક્કરના મોઢા માંથી ભાઈને બચાવવા પડેલા ભાઈનો હાથ ફેક્ચર થતા સારવાર માટે આઈસીયુમાં.

જૂના બોરભાઠા બેટમાં ડુક્કરે ભાઈ ઉપર હુમલો કરતા ભાઈને બચાવવા પડેલા મોટા ભાઈને ગંભીર ઈજા થતા પિતા-પુત્ર સહીત અન્ય ૧ મળી ૩ લોકોને ગંભીર ઈજા.

(વિરલ રાણા) ભરૂચ,અંકલેશ્વર પંથકના ખેડૂતોના ખેતરમાં જંગલી ડુક્કરનો ત્રાસ હોવાની અનેક ફરિયાદો ઉઠી છે પરંતુ હવે આ જંગલી ભૂંડો ખેત મજૂરો ઉપર હુમલો કરી રહ્યા હોવાની ઘટના સામે આવી છે.જેમાં અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ માં જંગલી ડુક્કર દ્વારા નાનાભાઈ ઉપર હુમલો કરાયો હોવાના કારણે ભાઈને બચાવવા પડેલા મોટા ભાઈને પણ ગંભીર ઈજા થઈ હતી.સાથે પુત્ર પણ વચ્ચે પડતાં ત્રણેય લોકોને હાથપગ તેમજ શરીર પર અને માથાના ભાગે બચકા ભરી લેતા લોહીલુહાણ અવસ્થામાં ત્રણેયને સારવાર અર્થે ખસેડાયા હતા.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ માં ખેડૂત રમણભાઈ ગોવિંદભાઈ પટેલ જેથી કામ કરી રહ્યા હતા.તે દરમ્યાન નજીક માંથી જંગલી ડુક્કરે હુમલો કર્યો હતો અને રમણભાઈના માથાના ભાગે બચકા ભરી શરીર ઉપર બચકા ભરતા મોટાભાઈ જીવણભાઈ ગોવિંદભાઈ પટેલે પોતાના સગા ભાઈ ને બચાવવા પડ્યા હતા.તે દરમ્યાન જંગલી ડુક્કરે જીવણભાઈ ઉપર પણ હુમલો કર્યો હતો.મોઢા અને શરીરના ભાગે બચકા ભરી જીવણભાઈ નો હાથ ફેક્ચર થઈ ગયો હતો.

બંને સગા ભાઈ ઉપર જંગલી ડુક્કરે હુમલો કર્યો હોય તેઓને બચાવવા માટે રમણભાઈ પટેલનો પુત્ર દીપક પટેલ પણ વચ્ચે પડયો હતો અને જંગલી ડુક્કરે દીપક પટેલ ને પણ બચકાં ભર્યા હતા.એક જંગલી ડુક્કરે ત્રણ લોકોને ગંભીર રીતે ઘાયલ કરી દેતા ખેત મજૂરો એકત્ર થઈ ગયા હતા અને ત્રણેયને ડુક્કરના મુખ માંથી છોડાવી લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગંભીર રીતે ઘવાયેલા જીવણભાઈ ગોવિંદભાઈ પટેલનો એક હાથ ફેક્ચર થઈ ગયો હતો.તદુપરાંત એને શરીરના ભાગે ગંભીર રીતે જંગલી ડુક્કરે બચકા ભર્યા હોવાના કારણે તેની હાલત ગંભીર બનતા તેને સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી છે.જ્યારે રમણભાઈ પટેલે પણ માથાના ભાગે જંગલી ડુક્કર બચકાં ભરી લેતાં ૫ થી ૭ ટકા આવ્યા હતા અને શરીરના ભાગે પણ ગંભીર ઈ જા થઈ હતી.

જ્યારે રમણભાઈ પટેલના પુત્ર દીપકભાઈ પટેલને પણ પગના ભાગે જંગલી ડુક્કરે બચકા ભરી લીધા હતા પણ એને લોહીલુહાણ અવસ્થામાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ત્યારે અંકલેશ્વરમાં જંગલી ડુક્કરનો ત્રાસ વધી જતા ખેત મજુરો અને ખેડૂતોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.