Western Times News

Gujarati News

હું મારા કામમાં વધુ પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરીશ: પરાગ અગ્રવાલ

નવીદિલ્હી, માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટિ્‌વટરના ટોચના મેનેજમેન્ટ વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. જ્યારથી ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે ટિ્‌વટર સોદો કર્યો છે, ત્યારથી કોઈને કોઈ વિવાદ થયો છે. શુક્રવારે એલોન મસ્કે ફરી કહ્યું, આ સોદો હાલ પૂરતો રોકી દેવામાં આવ્યો છે. તેની પાછળનું કારણ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર નકલી અથવા સ્પામ એકાઉન્ટ્‌સની પેન્ડિંગ માહિતી છે.

એલોન મસ્કના આ ધમાકા બાદ ટિ્‌વટરના સીઈઓ પરાગ અગ્રવાલ ખુલ્લેઆમ સામે આવ્યા છે. તેમણે અનેક ટોણા માર્યા છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે એલન મસ્ક પરાગ અગ્રવાલના કામથી ખુશ નથી. ટિ્‌વટરના સીઈઓ પરાગ અગ્રવાલે ટિ્‌વટર પર ઘણી વસ્તુઓ શેર કરી છે.

તેમણે લખ્યું છે કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઘણું બધું થયું છે. મેં કંપની પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને ક્યારેય જાહેરમાં કશું કહ્યું નહીં. જાે કે, હવે હું તેમ કરીશ. તેમણે કહ્યું કે અમે અમારા ટોચના નેતૃત્વ અને કામગીરીમાં ફેરફારની જાહેરાત કરી છે. પરિવર્તન દરેક માટે હંમેશા મુશ્કેલ હોય છે. આ દરમિયાન કેટલાક લોકો કહી રહ્યા છે કે ‘લેમ ડક’ સીઈઓ આ ફેરફાર કેમ કરશે.

પરાગ અગ્રવાલે કહ્યું કે, તમામ પ્રશ્નોના ટૂંકા જવાબ છે. મને આશા છે કે જ્યારે ડીલ ફાઇનલ થાય ત્યારે આપણે તમામ સંજાેગો માટે તૈયાર રહેવાની જરૂર છે. મેં હંમેશા ટ્‌વીટર માટે જે યોગ્ય છે તે કર્યું છે. હુ ટિ્‌વટરના નેતૃત્વ અને સંચાલન માટે જવાબદાર છું.

અમારું કામ તેને દરરોજ મજબૂત બનાવવાનું છે. તેણે ઉમેર્યું, “અમને અમારા કામ પર ગર્વ છે. અહીં કોઈ માત્ર દેખાડો કરવા માટે કામ કરતું નથી. કંપનીની ભાવિ માલિકીને ધ્યાનમાં લીધા વિના અમે ગ્રાહકો, ભાગીદારો, શેરધારકો અને તમારા બધા માટે ટિ્‌વટરને ઉત્પાદન અને વ્યવસાય તરીકે સુધારવા માટે અહીં છીએ.

પરાગ અગ્રવાલે કહ્યું, અમારી ટીમ તેના કામ પર ધ્યાન આપી રહી છે. હું હજુ પણ જરૂરિયાત મુજબ કઠિન ર્નિણયો લેવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છું. તેઓ કંપનીના હિતમાં ફેરફારો કરવાનું ચાલુ રાખશે, એમ તેમણે જણાવ્યું હતું. “હું ર્નિણય લેવાથી બચવા માટે તાજેતરના સોદાનો આશરો લઈશ નહીં,” હું મારા કામમાં વધુ પારદર્શિતા લાવવાનો પ્રયાસ કરીશ.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.