Western Times News

Gujarati News

યોગ દિવસે મૈસુર ખાતે યોજાનારા મુખ્ય કાર્યક્રમનું નેતૃૃત્વ પીએમ મોદી કરશે

(એજન્સી) નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ર૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસે મૈસુર ખાતે યોજાનારા રાષ્ટ્રીય મુખ્ય કાર્યક્રમનું નેતૃત્વ કરશે. કોરોના મહામારીના કારણે બે વર્ષ પછી પ્રત્યક્ષ કાર્યક્રમનું આયોજન કરાઈ રહ્યુ છે.

આયુષ પ્રધાન સર્બાનંદ સોનોવાલે જણાવ્યુ હતુ કે દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે તે પ્રસંગે કાર્યકર્મનું આયોજન દેશભરના ૭પ મહત્ત્વના સ્થાને થઈ રહ્યુ છેે. તે પ્રસંગેે દેશને વિશ્વ સ્તરે મુકવા પ્રયાસ થશે.

આ ઉપરાંત આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે ર૧ જૂન સુધીમાં વિવિધ સ્થાને શ્રણેીબધ્ધ કાર્યક્રમનું આયોજન પણ થશે. એ અનુસંધાન માં ર૭ મે ના રોજ હૈદ્રાબાદ ખાતે યોગમાં ઋચિ રાખનારા ૧૦ હજાર લોકો યોગ નિર્દેશન કરશે. આ પહેલાં શિવડોલ ખાતે, બીજી મે ના રોજ તો લાલ કિલ્લા ખાતે ૭ એપ્રિલે મહત્ત્વના કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.