Western Times News

Gujarati News

પાટણના સિદ્ધિ સરોવરમાં અસ્થિત મગજના વૃદ્ધે પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી

પાટણ,પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં સોમવારની બપોરના સમયે એક અસ્થિત મગજના વૃદ્ધે કોઇ અગમ્ય કારણોસર પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. રહીશોએ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પાણીમાંથી બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ પાટણ શહેરના ગુલશન નગરમાં રહેતા ધીરુ દશરથભાઇ રાણા નામના વૃદ્ધે સોમવારની બપોરના સુમારે કોઇ અગમ્ય કારણોસર પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ઘટનાને પગલે આસપાસના રહીશોએ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી.

આ મામલે પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મૃતકના પરિવારજનોમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.hs3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.