Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૭૨ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૭૨ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૫૩ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૪,૨૮૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૯.૦૮ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૪૩,૮૫૮ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૩૬૩ એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ ૩૬૩ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૪,૨૮૦ નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૪ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું.

નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૪૪, વડોદરા કોર્પોરેશન તથા સુરત કોર્પોરેશનમાં ૭-૭, રાજકોટ કોર્પોરેશન ૩, અરવલ્લી- વલસાડમાં ૨-૨, આણંદ, બનાસકાંઠા, ગાંધીનગર કોર્પોરેશન, ગીરસોમનાથ, મહેસાણા, રાજકોટ અને સાબરકાંઠામાં ૧-૧ કેસ નોંધાઇ ચુક્યાં છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે.

રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૯૦૮ નાગરિકોને રસીનો પ્રથમ અને ૧૪૪૦૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૧૨૮ ને રસીનો પ્રથમ અને ૨૧૬૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૯૬૭૩ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૪૮૪ ને રસીનો પ્રથમ અને ૬૦૯૧ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૪૩,૮૫૮ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૦૨,૮૦,૯૯૯ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.