Western Times News

Gujarati News

કોઈની સાથે કોઈ વિવાદ નથી અભિનેતા સલમાન ખાન

મુંબઈ, બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન અને તેમના પિતા સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી છે. જાે કે, આ કેસમાં, મુંબઈ પોલીસને નિવેદન આપતા, સલમાને કહ્યું છે કે તાજેતરના ભૂતકાળમાં ન તો તેનો કોઈ વ્યક્તિ સાથે કોઈ વિવાદ થયો છે કે ન તો કોઈએ તેને ધમકી આપી છે અથવા આવા કોઈ કેસમાં ધમકીભર્યા ફોન કર્યા છે. અહેવાલ છે કે ધમકીઓના મુદ્દે મુંબઈ પોલીસે સલમાન ખાન સાથે વાત કરી છે.

સલમાને પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે તેને કોઈની સાથે દુશ્મની નથી. તેણે કહ્યું કે તેને કોઈ વ્યક્તિ તરફથી કે ફોન કોલ દ્વારા કોઈ ધમકી મળી નથી. આ સાથે સલમાન ખાને એમ પણ કહ્યું છે કે તાજેતરના સમયમાં તેનો કોઈ વ્યક્તિ સાથે કોઈ વિવાદ થયો નથી. ઉલ્લેખનીય છે કે, ૨ દિવસ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાનના ગાર્ડને એક પત્ર મળ્યો હતો.

આ પત્રમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં ધમકીભર્યા સ્વરમાં લખ્યું હતું, ‘તુમારા મુસેવાલા કર દેંગે’. આ પછી સલીમ ખાને મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી હતી.

નોંધનીય છે કે પંજાબી રેપર અને સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાની જવાબદારી કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ગુલામ ગોલ્ડી બ્રારે લીધી હતી. લોરેન્સ અગાઉ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી આપી ચૂક્યો છે. અગાઉ લોરેન્સે પણ કથિત રીતે સલમાન ખાનની હત્યાની યોજના ઘડી હતી અને તેના ઘરની રેકી કરવા માટે તેના સાગરિતોને પણ મોકલ્યા હતા. સલમાન ખાન પર જાેધપુરમાં કાળિયારનો શિકાર કરવાનો આરોપ છે. લોરેન્સ પોતે બિશ્નોઈ સમાજના છે જેઓ કાળા હરણને પવિત્ર માને છે.SS1KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.