Western Times News

Gujarati News

મત્સ્યઉદ્યોગ સબસીડી પર પ્રતિબંધની દરખાસ્તનો ભારતીય માછીમારો દ્વારા વિરોધ

નવી દિલ્હી, ભારતના માછીમારી સમુદાયના કેટલાક સભ્યોએ રવિવારે વિશ્વ વેપાર સંગઠન (ડબલ્યુટીઓ)ના મત્સ્યઉદ્યોગ સબસિડી પર પ્રતિબંધ લગાવવાની દરખાસ્તનો વિરોધ કર્યો હતો કારણ કે, તે વિકાસશીલ દેશોની માગને અનુરૂપ નથી.પશ્ચિમ બંગાળના બિમન જૈને કહ્યું કે, જાે માછીમારોની સબસિડી બંધ થઈ જશે તો તેમનું જીવન અને આજીવિકા બંધ થઈ જશે.

તે માછીમારો વિરુદ્ધ ન હોવી જાેઈએ જાે સબસિડી શિસ્તની જરૂર હોય તો તે ઔદ્યોગિક માછીમારો માટે હોવી જાેઈએ. આ અમારી મુખ્ય માગ છે.૧૨મી જૂને શરૂ થયેલી ૧૨મી વર્લ્‌ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની મંત્રી સ્તરીય બેઠક દરમિયાન ભારતભરમાંથી માછીમારો વિરોધ કરવા જિનેવામાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યાલયની બહાર એકઠા થયા હતા અને વિરોધ કર્યો હતો.

આ સાથે જ તેમણે જણાવ્યું કે, કેવી રીતે યુરોપ અને ચીનના વિશાળ માછીમારીના દિગ્ગજાે દરિયાઈ સંસાધનોના ઘટાડા માટે જવાબદાર છે.ભારતીય માછીમારો વસ્તીના હિતની રક્ષા માટે અલગ-અલગ રાજ્યોના ૩૪ માછીમારોનું એક જૂથ જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સામેલ છે. તેઓ આ વિરોધ પ્રદર્શનનું પ્રતિનિધિત્વ કરતા જિનેવા પહોંચ્યા હતા.

પ્રદર્શનમાં સામેલ મહારાષ્ટ્રના એક માછીમારે કહ્યું કે, હું નવમી પેઢીનો માછીમાર છું અને મારો પરિવાર સદીઓથી માછીમારી સાથે સંકળાયેલો છે. ચીન અને યુરોપ જેવા વિકસિત દેશોની માછીમારીની બોટ હજારો ટન માછલીઓ પકડે છે તેને બોટમાં જમા કરે છે અને તેઓ તેને લઈ જાય છે. ભારતીય માછીમારોને પોતાના અસ્તિત્વ માટે આ સબસિડીની આવશ્યકતા છે.

સીએમએફઆરઆઈ સેન્સસ ૨૦૧૬ મુજબ દરિયાઈ માછીમારોની કુલ વસ્તી ૩.૭૭ મિલિયન છે જેમાં ૦.૯૦ મિલિયન પરિવારોનો સમાવેશ થાય છે. તેઓ ૩,૨૦૨ માછલી પકડતા ગામોમાં રહે છે. લગભગ ૬૭.૩ ટકા માછીમાર પરિવારો બીપીએલ કેટેગરીમાં હતા. સરેરાશ કુટુંબનું કદ ૪.૬૩ હતું અને કુલ લિંગ ગુણોત્તર પ્રતિ ૧૦૦૦ પુરુષોએ ૯૨૮ સ્ત્રીઓ હતી.

ભારત આઈયુયુ માછીમારી પર અંકુશ લગાવીને અને હાનિકારક સબસિડીને તપાસીને ટકાઉ માછીમારીને સમર્થન આપવાના પક્ષમાં છે.મહારાષ્ટ્રના માછીમાર જ્યોતિબુઆએ કહ્યું કે, આપણા દેશમાં માછીમારીમાં મહિલાઓની સંખ્યા વધારે છે. જાે આ સબસિડી દૂર કરવામાં આવશે તો સૌથી વધુ અસર મહિલાઓ પર પડશે. સબસિડી જતી રહેશે તો અમારું ‘કુટુંબ’ પણ જતું રહેશે.

ગુજરાતના એક માછીમારે જણાવ્યું કે, જાે આ સબસિડી હટાવી લેવામાં આવશે તો તે અમારા માટે જિદંગી અને મોતનો મામલો છે. અમે સમુદ્રને અમારો પિતા માનીએ છે અને તેનું એટલું જ સમ્માન પણ કરીએ છીએ. અમે અમાસની રાત્રે માછલી પકડવા પણ નથી જતા. જાે આ સબસિડી છીનવી લેવામાં આવશે તો અમે જીવિત ન રહી શકીએ.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.