વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ભાવપૂર્ણ વિદાય આપતા રાજ્યપાલ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસ દરમિયાન રાજભવન ખાતે રાત્રી રોકાણ કર્યા બાદ વડોદરામાં યોજાયેલાં વિવિધ કાર્યક્રમો માટે આજે રાજભવન, ગાંધીનગર ખાતેથી પ્રસ્થાન કર્યુ હતું. ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવન ખાતે વડાપ્રધાનશ્રીને ભાવપૂર્ણ વિદાય આપી હતી.