Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા તાલુકા મધ્યાહ્ન ભોજન કર્મચારી મંડળ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) ઓલ ગુજરાત મધ્યાહનના ભોજન કર્મચારી મંડળના પગલે ખેડબ્રહ્મા તાલુકા મધ્યાન ભોજન સંચાલક મંડળના પ્રમુખશ્રી અંગારી બાબુભાઈ લૂકાભાઈ તથા ઉપપ્રમુખ પારગી મુકેશભાઈ જુમાભાઈ ની રાહબરીમાં આજરોજ ખેડબ્રહ્મા મામલતદારશ્રીને તેઓ ની પડતર માગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદનપત્ર પ્રમાણે તેઓના પગાર ખૂબ જ ઓછા છે તથા તાજેતરમાં નવા મેનુ ના બે ભાગ કરી ભોજન તથા નાસ્તો આપવાનું નક્કી કરતા કર્મચારીઓના કલાક વધી જતાં તેમને પરવડે તેમ નથી. હાલના કામના સમય પ્રમાણેના વેતનમાં પણ ઘર ચલાવવું મુશ્કેલ પડે છે, તથા સરકાર દ્વારા જે કેન્દ્રો ખાનગી સંસ્થાને આપેલ છે તે પરત જુના સંચાલકોને આપવા આવેદનપત્રમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.