Western Times News

Gujarati News

રાજ્યમાં કોરોના વાયરસના નવા કુલ ૪૧૯ કેસ નોંધાયા

ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના આજે નવા ૪૧૯ કેસ નોંધાયા છે. તો બીજી તરફ ૨૧૮ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ ૧૨,૧૬,૪૬૩ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને ૯૮.૯૨ ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ ૪૩,૦૪૯ રસીના ડોઝ અપાયા હતા.

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ ૨૨૯૯ એક્ટિવ કેસ છે. જે પૈકી ૦૨ નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત ૨૨૯૭ નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ ૧૨,૧૬,૪૬૩ નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ ૧૦,૯૪૬ નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જાે કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.

નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં ૧૬૬, સુરત કોર્પોરેશન ૬૨, વડોદરા કોર્પોરેશન ૩૫, ભાવનગર કોર્પોરેશન ૩૦, સુરત ૨૨, વલસાડ ૧૩, જામનગર કોર્પોરેશન ૧૦, નવસારી ૯, અમરેલી ૮, ગાંધીનગર કોર્પોરેશન ૭, રાજકોટ કોર્પોરેશન ૭, ગાંધીનગર ૫, મહેસાણા ૫, પાટણ ૫, રાજકોટ ૫, અમદાવાદ ૪, કચ્છ ૪, ભાવનગર ૩, દેવભૂમિ દ્વારકા ૩, ખેડા ૩, સુરેન્દ્રનગર ૩, વડોદરા ૩, મોરબી ૨, સાબરકાંઠા ૨, આણંદ ૧, ભરૂચ ૧, તાપી ૧ એમ કુલ ૪૧૯ કેસ નોંધાયા છે.

બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ૧૮ વર્ષથી વધારેની ઉંમરના ૬૯૧ નાગરિકોને રસીનો પ્રથમ અને ૮૫૪૭ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૧૫-૧૭ વર્ષના નાગરિકો પૈકી ૬૪૩ ને રસીનો પ્રથમ અને ૧૩૯૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. ૨૨૯૪૧ ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. ૧૨-૧૪ વર્ષના નાગરિકો પૈકી ૩૯૦૩ ને રસીનો પ્રથમ અને ૪૯૩૨ ને રસીનો બીજાે ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ ૪૩,૦૪૯ કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ ૧૧,૧૨,૦૬,૩૧૯ કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.SS3KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.