Western Times News

Gujarati News

કોરોના પ્રોટોકોલનું પાલન ન કરાતા બોર્ડ ક્રિકેટર્સથી નારાજ

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ પહેલાં રોહિત કોરોના પોઝિટિવ

નવી દિલ્હી, ઈંગ્લેન્ડ સામે રમાનારી એક માત્ર ટેસ્ટ પહેલા કેપ્ટન રોહિત શર્મા કોરોના પોઝિટિવ થયો છે અને તે હાલમાં ક્વોરેન્ટાઈનમાં છે. આ પહેલા વિરાટ કોહલી પણ કોરોના પોઝિટિવ થયો હતો. આ બંને ખેલાડીઓ લંડનમાં શોપિંગ કરતા નજરે પડ્યા હતા. તેમના દ્વારા કોરોના પ્રોટોકોલનુ પાલન નહીં થતુ હોવાથી ભારતીય ક્રિકેટ બોર્ડ નારાજ પણ થયુ હતુ.

જાેકે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર તેની ઝાઝી અસર થઈ હોય તેમ લાગતુ નથી. કારણકે એજબેસ્ટનમાં રમાનારી એક માત્ર ટેસ્ટ પહેલા ખેલાડીઓની વધુ એક તસવીર સામે આવી છે અને તેમાં ખેલાડીઓ કોઈ રેસ્ટોરન્ટમાં ભોજન કરતા નજરે પડી રહ્યા છે.

આ તસવીર ક્યારની છે તે તો ખબર નથી પણ ક્રિકેટ બોર્ડે જ્યારે ખેલાડીઓને કોરોના પ્રોટોકોલનુ પાલન કરવા કહ્યુ છે ત્યારે પણ ખેલાડીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તસવીર જાેઈને એવુ લાગે છે કે, ક્રિકેટ બોર્ડની સલાહનુ પાલન કરવાની જગ્યાએ ટીમ ઈન્ડિયાને હરવા ફરવામાં વધારે રસ છે.

તસવીરમાં જાેઈ શકાય છે કે, ખેલાડીઓએ માસ્ક પણ પહેર્યા નથી અને રેસ્ટરોન્ટની બહાર ચાહકો સાથે પણ તેઓ મળી રહ્યા છે. ક્રિકેટ બોર્ડે જાહેરમાં ફરવા બદલ ખેલાડીઓને ખખડાવ્યા છે અને માસ્ક પહેરવાની પણ સૂચના આપી છે. જાેકે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કોરોનાની ગાઈડ લાઈનને હળવાશથી લઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યુ છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.