Western Times News

Gujarati News

૨૫ વર્ષથી નથી એક્ટર Raj Kiran Mahtani નો કોઇ અત્તોપત્તો

મુંબઈ, તમે બોલિવૂડ સ્ટાર્સ સાથે જાેડાયેલી ઘણી વાતો સાંભળી અને વાંચી હશે, પરંતુ આજે અમે જેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે એક્ટર વિશે જાણીને તમે દંગ રહી જશો. દિવંગત એક્ટર ઋષિ કપૂરની ફિલ્મ ‘કર્જ’થી દેશભરમાં ફેમસ થયેલા ૮૦ના દશકના હીરો રાજ કિરણ મહતાની છેલ્લા ૨૫ વર્ષથી ગાયબ છે. જાે મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો છેલ્લા ૨૫ વર્ષથી રાજ કિરણનો કોઇ અત્તોપત્તો નથી.

તેનો પરિવાર પણ તેને શોધી રહ્યો છે, પરંતુ હજુ સુધી તેના વિશે કોઈને કંઈ જાણવા મળ્યું નથી. રાજને બે દીકરીઓ છે – ઋષિકા મહતાની અને મન્નત મહતાની અને તેની પત્ની રૂપાએ બીજા લગ્ન પણ કર્યા છે.

રાજની દીકરી ઋશિકા પ્રોફેશનલ જ્વેલરી ડિઝાઈનર છે અને તે દર વર્ષે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને તેના પિતાને બર્થ ડે વિશ જરૂર કરે છે.

ઋશિકા પાસે તેના પિતા સાથે માત્ર એક જ ફોટો છે, જે તે દરેક વખતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જેમાં તે ખૂબ જ નાની જાેવા મળી રહી છે અને પિંક કલરના ડ્રેસમાં તેના પિતા રાજ કિરણના ખોળામાં બેઠી છે. તે આ ફોટોનો ઉપયોગ તેના પિતાને બર્થ ડે વિશે કરવા માટે કરે છે.

રાજ કિરણની ફિલ્મી કરિયર ખૂબ સારી રીતે ચાલી રહી હતી, લીડ રોલ સિવાય તેણે ઘણા સપોર્ટિંગ રોલ્સ પણ પ્લે કર્યા, પરંતુ તેનું આ રીતે અચાનક ગાયબ થવું તેના ફેન્સ માટે પણ ચોંકાવનારી બાબત હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો છે કે રાજ કિરણ તેની કરિયરમાં પીછેહઠ કર્યા પછી ગંભીર ડિપ્રેશનમાં ચાલ્યા ગયા હતા.

બાદમાં તેને મુંબઈના ભાયખલા મેન્ટલ એસાઈલમમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે ઈન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગયા અને ઘણા વર્ષોથી અમેરિકામાં વૈરાગીરૂપે રહેતા હોવાનું માનવામાં આવતું હતું.

તે જ સમયે, જૂન ૨૦૧૧ માં, યુનાઇટેડ સ્ટેટ્‌સના પ્રવાસ પર, ઋષિ કપૂરે ગુમ થયેલા એક્ટરના ભાઈ ગોવિંદ મહતાનીને ફોન કર્યો, જેણે તેમને કહ્યું કે એક્ટર એટલાન્ટામાં એક પાગલખાનામાં છે, જ્યાં તે એક માનસિક બીમારીના કારણે રહે છે.

જ્યારે ૨૦૧૧ માં તેમની દીકરી ઋશિકાએ એક જાહેર નિવેદન જારી કરીને રાજ કિરણ એટલાન્ટામાં મળી આવ્યાના રિપોર્ટને નકારી કાઢ્યા હતા.

તેણે કહ્યું કે તે અને તેનો પરિવાર વર્ષોથી ન્યૂયોર્ક પોલીસ અને ખાનગી જાસૂસોની મદદથી તેમને શોધી રહ્યા હતા. રાજને આજે પણ કાગઝ કી નાવ (૧૯૭૫), શિક્ષા (૧૯૭૯), માન અભિમાન (૧૯૮૦) અને એક નયા રિશ્તા (૧૯૮૮), કર્જ (૧૯૮૦), બસેરા (૧૯૮૧), અર્થ (૧૯૮૨), રાજ તિલક (૧૯૮૪), અને વારીસ (૧૯૮૮) જેવી ફિલ્મો માટે યાદ કરવામાં આવે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.