Western Times News

Gujarati News

દિલ્હીથી જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને પંજાબમાં કોરોનાની તેજ રફતાર

નવી દિલ્હી, મહારાષ્ટ્ર, દિલ્હી, યુપી, હરિયાણા અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. દરમિયાન, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે (૭ એપ્રિલ) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

માંડવિયાએ જણાવ્યું હતું કે, મીટિંગ દરમિયાન કોવિડ ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગની સાથે કોવિડ નિયમોના પાલનનો ફેલાવો વધારવા પર ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે, સોમવાર (૧૦ એપ્રિલ) અને મંગળવારે (૧૧ એપ્રિલ) આખા દેશમાં કોવિડને લઈને એક મોક ડ્રીલ થશે. આવામાં તમામ આરોગ્ય મંત્રીઓએ હોસ્પિટલની મુલાકાત લેવી જાેઈએ.

શુક્રવારે (૭ એપ્રિલ) મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના ૯૨૬ કેસ નોંધાયા હતા જ્યારે ત્રણ લોકોના કારણે મોત થયા હતા. સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી.

અધિકારીઓએ જણાવ્યું કે, નવા દર્દીઓ બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૮૧,૪૮,૫૯૯ થઈ ગઈ છે જ્યારે કુલ મૃત્યુઆંક વધીને ૧,૪૮,૪૫૭ થઈ ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મુંબઈમાં ૨૪ કલાક દરમિયાન કોવિડ-૧૯ના ૨૭૬ દર્દીઓ મળી આવ્યા હતા.

આ સંખ્યા એક દિવસ પહેલા નોંધાયેલા દર્દીઓ કરતા ૨૭ ટકા વધુ છે, ચેપથી મૃત્યુ પામેલા ત્રણ દર્દીઓ ગોંદિયા, કોલ્હાપુર અને રાયગઢના રહેવાસી હતા. રાજ્યના આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, ચેપમાંથી સાજા થવાનો દર ૯૮.૧૨ ટકા અને મૃત્યુ દર ૧.૮૨ ટકા છે.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૨૪ કલાકમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ૭૩૩ નવા કેસ સામે આવ્યા છે, જે છેલ્લા સાત મહિનામાં સૌથી વધુ છે. હવે પોઝિટિવિટી રેટ ૧૯.૯૩ ટકા થઈ ગયો છે. આ દરમિયાન બે દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.

ગુરુવારે (૬ એપ્રિલ) અહીં કોવિડ-૧૯ના ૬૦૬ નવા કેસ સામે આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં દરરોજ લગભગ ૧૦૦ કેસ વધી રહ્યા છે. શુક્રવારે, હિમાચલ પ્રદેશમાં કોવિડના ૧૦૮ નવા કેસ નોંધાયા હતા જ્યારે એકનું ચેપને કારણે મોત થયું હતું. સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા ૧૯૩૩ છે.

મંડી જિલ્લામાં એક ૧૯ વર્ષની યુવતીનું વાયરસથી મૃત્યુ થયું હતું, અધિકારીઓએ જણાવ્યું હતું કે, મૃત્યુઆંક ૪,૧૯૮ પર પહોંચ્યો છે. શુક્રવારે (૭ એપ્રિલ) ઉત્તર પ્રદેશમાં ૨૦૦ થી વધુ કોરોના કેસ સામે આવ્યા હતા. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડના ૨૩૨ કેસ સામે આવ્યા છે.

આ સાથે યુપીમાં સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા વધીને ૯૯૧ થઈ ગઈ છે. તેમાંથી ૫૨ કેસ રાજ્યની રાજધાની લખનૌમાં મળી આવ્યા છે. કોરોનાના નવા કેસોમાં વધારા અંગે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગભરાવાની જરૂર નથી, જાેકે સતર્ક રહેવું જરૂરી છે.

લોકોએ બહાર જતી વખતે માસ્ક પહેરવું જાેઈએ અને કોરોના સંબંધિત નિયમોનું પાલન કરવું જાેઈએ. ભીડમાં પણ સામાજિક અંતરનું ધ્યાન રાખો. વાયરસ કોરોના વાયરસની જેમ વર્તે છે, જેમાં સામાન્ય શરદી અને શરદી જેવા લક્ષણો છે અને તે આપણને ફરીથી ચેપ લગાવી શકે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.