Western Times News

Gujarati News

સગીરા પર બળાત્કાર અનેે હત્યા કેસમાં આરોપીને આજીવન કેદની સજા

નડીયાદ, કપડવંજ તાલકુાના એક ગયામમાં સગીરા સાથે આરોપીએે બળાત્કાર ગુજાર્યો બાદ એક સંતાનને જન્મ આપ્યા બાદ આરોપીએ આ સગીરાના ઘરમાં જઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે કેસમાં કપડવંજની કોર્ટે આરોપીનેે આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

આ કેેસમાં સગીરા સાથે બળાત્કાર થતાં એક બાળકનો જન્મ પણ થયો હતો. કપડવંજ તાલુકાના એક ગામમાં સગીર વયની દિકરી ઉવ.આ ૧૪ તા.૧પ-૯-ર૦૦૯ની રોજ હાઈસ્કુલ માં ધો.૯ની પરીક્ષા આપવાનું કહી શાળામાં જવા નીકળી હતી.

આ સમયે આરોપી સોમાભાઈ ઉદાભાઈ ઠાકોર ઉ.વ.આ.ર૬ સિકંદર ઘોરડા, તા.કઠલાલના ઓએ આ સગીરાનેેેે લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો. જેથી તેની સામે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતેેે ઈપીકો કલમ ૩૬૩, ૩૬૬ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.

ત્યારબાદ ભોગ બનનારનેેે આરોપીએ તા.રપ-૭-૧૩ સુધી વિવિધ સ્થળોએે લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. જેને કારણે સગીરા ગર્ભવતી થઈ હતી. જેનાથી એક બાળકનો જન્મ થયો હતો. તા.૧૮-૧-૧૪ ના રોજ ફરીયાદી એટલે કે ભોગ બનનાર પીડિતાની માતા બંન્નેનાઓ પોતાના ઘરે હતા અને ભોગ બનનારની માતા પોતાના ઘર પાછળ વાડાના ભાગે બાધેલ ઢોરને પાણી પીવડાવતા હતા

એ વખતેે આ કામનો આરોપી સોમાભાઈ ઉદાભાઈ ઠાકોર (પરમાર) નાઓ ફરીયાદીના ઘરમાં આવી ભોગ બનનાર સગીર વયની દિકરીને ગળાના ભાગેે તથા અન્ય ભાગોએ ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવ્યુ હતુ.

આ બાબતે કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ઈપીકો કલમ ૩૦ર તથા એટ્રોસિટી એક્ટ હેઠળ આરોપી સોમાભાઈ ઉદાભાઈ ઠાકોર વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.