Western Times News

Gujarati News

ઉનાળુ વેકેશનમાં કાંકરિયા તળાવ હવે સોમવારે પણ ખુલ્લું રહેશે

File

એએમસી દ્વારા મહત્વનો ર્નિણય લેવાયો-ઉનાળુ વેકેશનમાં વધુ લોકો મુલાકાત લઈ શકે તે માટે ર્નિણય ઃ મોટી સંખ્યામાં લોકો મોજ મસ્તી માટે ઉમટ્યા

અમદાવાદ,  અમદાવાદમાં ફરવાલાયક સ્થળોમાંનું એક છે કાંકરિયા લેક. આ સ્થળ વિવિધ સુવિધા, એડવેન્ચર એક્ટિવિટી, મનોરંજનથી ભરપૂર છે. જેને કારણે અહી બારેમાસ મુલાકાતીઓ રહેતા હોય છે. ત્યારે વેકેશન શરુ થતા જ અહીં મુલાકાતીઓની સંખ્યા વધી જાય છે.

આવામાં એએમસી દ્વારા મહત્વનો ર્નિણય લેવાયો છે કે, કાંકરિયા તળાવ હવે સોમવારે પણ ખુલ્લુ રહેશે. જેથી વધુ મુલાકાતીઓ તેનો લાભ લઈ શકે. અમદાવાદનું કાંકરિયા તળાવ એટલે બાળકોને મામાના ઘર જેવુ લાગે. અમદાવાદમાં વેકેશન માટે કાંકરિયા તળાવ સ્વર્ગ સમાન છે.

ત્યારે હવે અમદાવાદના કાંકરિયા તળાવની સોમવારે પણ મુલાકાત લઈ શકાશે. ઉનાળુ વેકેશન શરૂ થતા સોમવારે કાંકરિયા ખુલ્લુ રાખવાનો ર્નિણય લેવાયો છે. વેકેશનમાં કાંકરિયા ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ અહીં આવતા હોય છે. તેથી પ્રવાસીઓની હાલાકી ના પડે તે માટે સોમવારે પણ કાંકરિયા ખુલ્લું રહેશે.

ઉલ્લેખનીય છે કે, મેઈન્ટેનન્સ માટે કાંકરિયાને સોમાવારે બંધ રાખવામાં આવે છે. તેથી હાલ વેકેશન પૂરતુ જ કાંકરિયા સોમવારે ખુલ્લુ રહેશે. વેકેશન પૂર્ણ થયા બાદ ફરી રાબેતા મુજબ સોમવારે બંધ રહેશે. ગઈ કાલે કાંકરિયામાં અંદાજિત ૪૦ હજાર જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. સામાન્ય દિવસોમાં કાંકરિયામાં ૧૦ હાજર જેટલા લોકો આવતા હોય છે. પરંતુ વેકેશનમાં મુલાકાતીઓનો આંકડો વધીને ૧૫-૨૦ હજાર સુધી પહોંચી જાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.