Western Times News

Gujarati News

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ ‘સ્વાગત કાર્યક્રમ’ યોજાશે

૨૪મી મેના રોજ તાલુકા કક્ષાનો અને ૨૫મી મેના રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાશે

લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા ‘સ્વાગત કાર્યક્રમ’નું આયોજન

અધિક નિવાસી નાયબ કલેકટરશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર લોકોની સુખાકારી વધારવા માટે લોક ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે માટે તાલુકા કક્ષાએ દર માસના ચોથા બુધવારે તથા જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે.

માહે:- મે-૨૦૨૩માં તાલુકા કક્ષાએ તા. ૨૪/૦૫/૨૦૨૩ના રોજ તથા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૫/૨૦૨૩ના રોજ કલેક્ટર કચેરી, જિલ્લા સેવાસદન, સુભાષ બ્રિજ સર્કલ, જૂના વાડજ, અમદાવાદ-૩૮૦૦૨૭ ખાતે યોજાનાર છે.

અરજદારશ્રીઓએ જિલ્લા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત તેમના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૦૫/૨૦૨૩ સુધીમાં જિલ્લા કલેક્ટરશ્રીને મોકલી આપવા અનુરોધ કરવામાં આવે છે. જેથી તેનો સમાવેશ જિલ્લા/તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરી તેનો આખરી નિકાલ કરી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.