Western Times News

Gujarati News

સાંસદ મોહન ડેલકરની પર્યટન રાજ્ય મંત્રી પ્રહલાદસિંહ પટેલ સાથે મુલાકાત

સેલવાસ, દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકર લોકસભાના સત્ર દરમિયાન વિવિધ મંત્રાલયોની પણ મુલાકાત લઈને પ્રદેશ હિતના મુદ્દાઓ પર ખૂબજ સક્રિય બની કામ કરી રહયા છે. ગુરૂવારે પ્રહલાદસિંહ પટેલ કે જેઓ પર્યટન રાજયમંત્રીનો સ્વતંત્ર હવાલો ધરાવે છે તેઓને રુબરુ મળીને દાદરા નગર હવેલીના પ્રવાસન ક્ષેત્રમાં વિકાસ કરવા બાબતે ચર્ચા કરી હતી.

સાંસદ મોહન ડેલકરે પ્રદેશની પ્રાકૃતિક અને ભૌગોલિક પરિસ્થિતિથી પર્યટન રાજયમંત્રી પ્રહલાદસિંહ પટેલને વાકેફ કર્યા હતા. પ્રાકૃતિક સૌંદર્યના આધારે દાનહમાં ટુરિઝમ સેન્ટર ઘોષિત થાય તો તેના ફાયદાઓ, પ્રવાસન ઉદ્યોગનીતિ અંતર્ગત હોટલ ઈન્ડસ્ટ્રીઝ થકી પ્રદેશના સ્થાનિકોને અને યુવાઓને રોજગારીના લાભો મળી શકે અને ખાસ કરીને મોટા પ્રમાણમાં રેવન્યુ ઉપલબ્ધ થશે તેના ફાયદાઓ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પ્રવાસન ક્ષેત્રમાં દાદરા નગર હવેલીને દેશ- દુનિયાના નકશા પર નવી ઓળખ મળી શકે તેવા અનેક સ્ત્રોત હોવાનું સાંસદે પર્યટન મંત્રીને ભારપૂર્વક જાણકારી આપી હતી.

મંત્રી પ્રહલાદસિંહ પટેલે સાંસદ મોહન ડેલકરની રજૂઆતો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને આવનાર દિવસોમાં સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીને પર્યટન સ્થળ તરીકે નવી ઓળખ મળશે તેના માટે પૂરા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.