Western Times News

Gujarati News

જેઓ સદા ભેદભાવોના સીમાડાઓથી પર રહ્યા છે તેવા પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજંયતી મહોત્સવ નિમિત્તે

ભેદભાવ માણસજાતની પ્રકૃતિ છે એટલે જ યુગોથી માણસ ભેદની દીવાલો ઉભી કરતો રહ્યો છે કહો ને કે માનવજાતનીએ સદા સદાની વૃત્તિ પ્રવૃત્તિ બની ગઈ છે આપણી ખુભસુરત સીમારહિત દુનિયામા દરેક મનુષ્ય ગજબની શક્તિ  ધરાવે છે કાઈ આગળીઓના ઈશારે દુનિયા હલાવે છે કોઈ પોતાની આંગળીઓથી લાજવાબ સૃષ્ટિની સુદરતાને જીવંત કરે છે.

પરતુ ભગવાને આપેલી એ શક્તિઓને આદર આપવાને બદલે માણસ ધન અને ધર્મ જ્ઞાતિ અને જ્ઞાન દેશ અને વેશ વગેરે કેટલીય ભેદરેખાઓથી નિઃસીમ વિશ્વના ભાગલા પાડતો રહ્યો છે અહંકાર અને પૂર્વગ્રહોએ માનવજાત વચ્ચે દીવાલોનું ચણતર કરી દીધું છે

દેશ દેશ વચ્ચે સરહદો ઉભી કરી દીધી પરતુ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એક એવા પરાત્મપર સંત છે. જ્યા તમામ ભેદભાવો ઓગળી જાય છે સો કોઈ તેમની સ્નેહની વર્ષોથી ભીજાય છે સો કોઈ તેમની સ્નેહની વર્ષોથી ભીંજાય છે અને ભેદભાવ રહિત  આધ્યાત્મિક  ઐક્યનું એક નિરાળું વિશ્વ રચાય છે. ૨-૩-૧૯૮૭ની માધ્યાહ્ન વેળા હતી આજે સ્વામીશ્રી રામોદડી ગામે નૂતન મંદિરના પ્રતિષ્ઠા ઉત્સવમાં પધાર્યા હતા.

હજારો હરિભક્તો ઉમટ્યા હતા પ્રતિષ્ઠા પવિત્ર વિધિ પતાવીને સ્વામીશ્રી ગામના વાઘરીવાસમા પધાર્યા સદીઓથી જે અસ્પૃશ્ય રહી હતી એ ભૂમિમાં પ્રથમ જ વાર મહાન વિશ્વવંદનીય પવિત્ર સંતના પગલા પડી રહ્યા હતા સ્વામીશ્રીનો પ્રવેશ થયો અને વાઘરીનો વિશિષ્ટ લય બુંગિયા ઉપર ઢબૂક્યો.

સ્વામીશ્રીનો પ્રવેશ થયો અને વિશિષ્ટ લય બુંગિયા ઉપર ઢબૂક્યો મેલા ઘેલા કપડાં લઘરવઘર વેશ તેમની દરિદ્રતાની ચાડી ખાતા હતા પણ સૌનો ઉત્સાહ અપાર હતો એક લીમડા નીચે સ્વામીશ્રીનો સૌની વચ્ચે બેઠા તેઓને આશીર્વાદ આપતા કહ્યું.

ભગવાનના મંદિરની આજે સ્થાપના થઈ આપ બધાએ એમા લાભ લીધો યજ્ઞમાં પણ બેઠા ભગવાન તો સર્વના છે ભગવાનના દર્શન ભજન કરવાનો અધિકાર સૌને છે પણ આપણે શુદ્ધ થવુ જાઈએ તમે વ્યસન નો છોડો પૈસા ખોટા રસ્તે ચાલ્યા જાય છે

એટલે જ્યા છીએ ત્યા જ રહીએ છીએ વ્યસનો જાય તો કપડા સારા થાય મકાન સારા બને માટે કુટેવો કાઢવાની છે વહેમ પણ કાઢો તાવ આવે એમા પશુનો વધ કરો એ કઈ ચાલે ?

ન કરો તો અમે થાય કે માતા કોપશે અરે માતા કોપતી જ નથી માતા માતા પોતાના છોકરાને મારે ? માતા તો છોકરાને મોટા કરે ! માતા તો ભગવાનની શક્તિ છે એ તો બાળક જીવે એમા રાજી થાય માટે નિર્દોષ પશુને મારવાની જરૂર નથી.

એમ કહી સ્વામીશ્રીએ એક ના મસ્તક પર હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા. પછી તેમના ઝૂંપડે ઝૂંપડે પધરામણી કરી વાઘરીઓ સ્વામીશ્રીની આ કૃપાથી ધન્ય થઈ ગયા હતા એમને લાગ્યુ કે સૂર્યે સૌને માટે ઉગે છે એમ આ પ્રમુખ સ્વામી મહારાજ સૌના માટે અવતર્યા છે ભેદભાવ વિના.

ભગવાનની કૃપા થાય તો આખી દુનિયામા લીલા લહેર એટલે આપણા ભાગ્યનો પાર પણ નથી અને એમના થકી આપણને આ જે જ્ઞાન પ્રાપ્ત થયુ છે એટલે આપણો આ છેલ્લો જન્મ છે સાધન સંપૂર્ણ થયાં છે આપણે જે આદેશ આપ્યા છે એ રાખીશું તો અક્ષરધામ પણ આપણા માટે દૂર નથી એ પ્રાપ્તિ પણ આપણને થશે પણ એવી શ્રદ્ધા ને વિશ્વાસ રાખવો.

આપણે કાંઈ કરતા નથી આપણી કોઈ શક્તિ  પણ નથી કે સૂકું પાંદડું પણ હલાવી શકવા આપણે સમર્થ નથી આપણી અંદર જે ભગવાન બેઠા છે તે શક્તિ આપે છે ત્યારે આપણે પાદડું પણ હલાવી શકવા આપણે સમર્થ નથી આપણી અંદર જે ભગવાન બેઠા છે તે શક્તિ  આપે છે

ત્યારે આપણે પાદડુ હલાવી શકીએ છીએ આ વાત કરુ છુ અને તમને સંભળાય છે એ બધુ ભગવાનનું કાર્ય છે એ દિવ્ય છે પ્રકાશમાન છે એમા કોઈ માયા નથી જગત નથી પ્રપંચ નથી એવું ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે. એવુ સમજીએ તો આપણે દિવ્ય થઈ શકીએ એવુ આ જ્ઞાન છે.

વિશ્વને ઉન્નત પ્રેરણા આપતુ એક અણમોલ નજરાણુ એટલે સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હી જેને નિહાળીને મોટા મોટા માંધાતાઓ પણ નતમસ્તક થઈ જાય છે અને આશ્ચર્યચકિત થઈ પૂછે છે માત્ર પાચ વર્ષમા આ દિવ્ય સર્જન સાકાર કરનાર વિશ્વકર્મા કોણ છે ? સ્વયં ભગવાન કે એમના દૂત ?

અને સૌ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમા યશકળશ અર્પીને તેના ચરણ પખાળે છે. અને ત્યારે તેનાથી ભગવાન સ્વામિનારાયણ ચરણોમા બે હાથ જાડી નમ્રભાવે  સ્વામી બોલી ઉઠે છે નાના મે કાઈ કર્યુ નથી આ તો યોગીજી મહારાજ સંકલ્પ શાસ્ત્રીજી  મહારાજના આશીર્વાદ ભગવાન સ્વામિનારાયણની કૃપા અને સૌ સંતો હરિભક્તો ની મહેનત એટલે જ બધુ થયુ છે

મારાથી શેક્યો પાપડ પણ ભંગાય નહી સંતો હરિભક્તો ફરી ફરીને જય જયકાર કરીને સ્વામીશ્રીને યશ આપે છે ત્યારે સ્વામીશ્રીનો ઝીણો અવાજ ગળગળો થઈ જાય છે ના ભાઈ ના મે કાઈ કર્યું નથી આ તો શ્રીજીમાહારાજ અને યોગીજી કર્તાહર્તા છે.

જયજયકાર એમનો કરો સૌ સંતો હરિભક્તો ની જય અમે તો સેવક છીએ દાસ છીએ અને તેઓની આંખો ઝળઝળિયાથી છલકાઈ જાય છે .

દિલ્હી મા એક વખત સંતોએ સ્વામીશ્રીને કહ્યું જે કોઈ મહાનુભવો અક્ષરધામના દર્શન આવે છે એ આપના ગુણગાન ગાતા થાકતા જ નથી પરતુ સોથી મોટુ આશ્ચર્ય તો એ છે કે આ બધા વખાણ સાંભળ્યા પછી આપને તો જાણે કોઈ અસર જ નથી સ્વામીશ્રીએ કહ્યુ આપણાથી ક્યા કશુ થાય છે ? બધુ શ્રીજી મહારાજ સ્વામીના પ્રતાપે થાય છે બસ આ એમની નિતાંત પર્વતપ્રાય દૃઢતા છે જે ક્યારેય નહી ક્યારેય ફરે નહી.

પ્રમુખસ્વામી મહારાજ પરાત્પર વિશેષણને સાર્થખ કરે છે તેઓ સુખ દુઃખથી પર છે નાત જાતકના ભેદભાવોથી પર છે પોતાના કાર્યથી પર છે સૌથી વિશેષ તો તેઓ અહમથી પર છે પર તો છે પરતુ બહુ વધારે પર છે ખાલી પર નહી અનેકગણા પર !

આ પરાત્પર શબ્દ ભગવાન માટે જ વપરાય છે તો સ્વામીશ્રીને આપણે કઈ રીતે પરાત્પર કહી શકીએ ? એ સમજવા માટે સાક્ષાત્‌ ભગવાન સ્વામિનારાયણ જ શબ્દોની સ્મૃતિ કરો આ ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કહે છે આવા સંતના નેત્રમાં જાનારા ભગવાન છે.

આવા સંતના પગમા ચાલનારા ભગવાન છે તેમની પ્રત્યેક ઈન્દ્રિયોમાં ભગવાન જ કાર્ય કરે છે જાવુ સાંભળવુ આશીર્વાદ આપાવ કાર્ય કરવુ તે ભગવાન જ કરી રહ્યા છે પરાત્પર ભગવાન જ્યારે સ્વામીશ્રીના અંગે અંગમા એક જુદુ ક્યા રહ્યું ? ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એક બીજી વિશેષ વાત કરી છે જેટલામાં રાજાનુ રાજ્ય તેટલામાં રાણીનુ રાજય જ્ર!

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.