Western Times News

Gujarati News

સુલેમાનીની અંતિમ વિદાયમાં રડ્‌યું આખુ ઇરાન, અમેરિકાના ખરાબ દિવસો શરૂઃજૈનબ સુલેમાની

નવીદિલ્હી, ઇરાની રાજધાની તેહરાનમાં સોમવારે મેજર જનરલ કાસિમ સુલેમાનીના અંતિમ સંસ્કાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન અમેરિકા વિરુદ્ધ નારા લગાવાયા હતા અને લોકોએ બદલો લેવાની માંગ કરી હતી. નોંધનીય છે કે શુક્રવારે અમેરિકન ડ્રોન અટેકમાં ઇરાનની કુદ?સ ફોર્સના મેજર જનરલ સુલેમાનીની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદથી ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ છે. ઇરાનના સુપ્રીમ નેતા અયોતુલ્લાહ ખમનેઇની પણ હાજરીમાં જનાજાની નમાજ અદા કરવામાં આવી હતી. આ દરમિયાન અયોતુલ્લાહ રડતા જોવા મળ્યા હતા.

સુલેમાનીના ઉત્તરાધિકારી ઇસ્માઇલ ઘાની ખમનેઇ પણ જોવા મળ્યા હતા. ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની અને અન્ય મોટા નેતાઓ પણ જનરલ સુલેમાનીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. તેહરાનમાં ભીડને સંબોધિત કરતા સુલેમાનીની દીકરી જૈનબ સુલેમાનીએ કહ્યું કે, તેમના પિતાનું મોત અમેરિકા માટે ખરાબ દિવસો લાવશે. ટ્રમ્પ એમ ના વિચારે કે મારા પિતાની શહીદી સાથે બધુ ખત્મ થઇ ગયું છે.હમાસના નેતા ઇસ્માઇલ હનિયાદે ઇરાનીઓને સંબોધિત કરતા સુલેમાનીને જેરૂસલમના શહીદ ગણાવ્યા હતા. ઇસ્માઇલે આ સાથે પ્રતિજ્ઞા લીધી હતી કે પેલેસ્ટાઇની સંગઠન સુલેમાનીએ બતાવાયેલા માર્ગ પર ચાલશે અને અમેરિકાના પ્રભાવને ખત્મ કરવાનો પ્રયાસ કરશે.

ઇરાનના મેજર જનરલ કાસિમ સુલેમાનીની હત્યાને લઇને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના માથા પર આઠ કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. ઇરાની મેજર જનરલ સુલેમાની અમેરિકાના ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર, સુલેમાનીના જનાજા દરમિયાન સતાવાર પ્રસારકોએ રવિવારે તમામ ઇરાનીને એક ડોલર આપવાની અપીલ કરી હતી. આ રકમ અમેરિકાના રાષ્ટ્રપતિની હત્યા કરનારાઓને આપવામાં આવશે.

ઇરાનમાં આઠ કરોડ લોકો છે. ઇરાનની વસ્તીના આધાર પર અમે આઠ કરોડ ડોલરની રકમ એકઠી કરવા માંગીએ છીએ. જે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા કરનારાઓને ઇનામના રૂપમાં આપવામાં આવશે. આઠ કરોડ ડોલરની રકમને જો ભારતીય રૂપિયામાં ગણવામાં આવે તો આ રકમ ૫,૭૫,૪૨,૪૮,૦૦૦ રૂપિયા થાય. ટ્રમ્પના આદેશ પર ઇરાનના ઇસ્લામિક રિવોલ્યૂશન ગાડ્‌ર્સ કોર્પ્સના કમાન્ડર સુલેમાની પર ત્રણ જાન્યુઆરીના રોજ ડ્રોન હુમલો થયો હતો. આ હુમલો બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર કરવામાં આવ્યો હતો.

હુમલાની ઇરાને નિંદા કરી હતી. દેશના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા અલી ખામેનેઇ અને રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ અમેરિકા પાસેથી બદલો લેવાનો સંકલ્પ લીધો હતો.અમેરિકી એર સ્ટ્રાઈકમાં ઈરાની કમાન્ડર કાસિમ સુલેમાનીના મોત બાદ હવે ઈરાને યુદ્ધની જાહેરાત કરી દીધી છે. શનિવારે સવારે ઈરાને જામકરન મસ્જિદની ઉપર લાલ ઝંડો ફરકાવીને યુદ્ધ માટે એલર્ટ કર્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.