Western Times News

Gujarati News

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જરુરિયાતમંદ વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દીના વિકાસમાં નિર્ણાયક

જરૂરિયાતમંદ વિદ્યાર્થીવિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં  કુલ રૂા. ૭૮૦ કરોડની સહાય ચુકવાઇ

ઉચ્ચ અભ્યાસના ખર્ચનું ભારણ ઘટ્યું હોવાથી લાભાર્થી વિદ્યાર્થીનીઓની સંખ્યામાં ૬૪%નો વધારો

રાજ્યના તેજસ્વી, જરૂરિયાતમંદ અને યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના તેમની શૈક્ષણિક કારર્કિદી અને ભાવિ વિકાસના સંદર્ભમાં ખૂબ જ નિર્ણાયક અને ઉપયોગી સાબિત થઇ રહી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ રૂા. ૬ લાખથી ઓછી આવક ધરાવતા કુલ ૧,૯૯,૩૮૩ વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં આર્થિક લાભ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં આ યોજના હેઠળ રૂા. ૭૮૦ કરોડની વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૫-૧૬માં મુખ્યમંત્રીશ્રી સ્વાવલંબન યોજના હેઠળ વાર્ષિક રૂા. ૬ લાખથી ઓછી આવક ધરાવતા ૧૬,૫૧૬,વર્ષ ૨૦૧૬-૧૭માં ૩૨,૭૪૪ વર્ષ ૨૦૧૭-૧૮માં૪૬,૬૨૫ અને વર્ષ ૨૦૧૮-૧૯માં ૫૬,૫૮૧ ઉપરાંત ચાલુ વર્ષ ૨૦૧૯-૨૦ માં અત્યારા સુધીમાં ૪૬,૯૧૭ વિદ્યાર્થીઓએ લાભ મેળવ્યો છે. આ પ્રક્રિયા હાલમાં પણ ચાલુ હોય તેમા વધારો થશે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂપિયા ૭૮૦ કરોડની સહાય વિદ્યાર્થીઓને ચુકવાઇ છે.

આ યોજનાના અમલીકરણ વર્ષ ૨૦૧૫-૧૬ શરૂઆતમાં ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૯૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ અને વાલીની વાર્ષિક આવક રૂા.૪.૫૦ લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને જ આ યોજના અંતર્ગત લાભ પ્રાપ્ત થતો હતો.વધુમાં વધુ તેજસ્વી અને જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે માટે વર્ષ ૨૦૧૬-૧૭ થી ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ અને વાલીની વાર્ષિક મર્યાદા આવક રૂા.૬ લાખનો સુધારો કરવામાં આવેલ છે.જેને પરિણામે, આ યોજનાની હકારાત્મક અસર એ પડી છે કે પછીના વર્ષે (૨૦૧૬-૧૭) દરમ્યાન લાભાર્થીઓની કુલ સંખ્યામાં લગભગ ૪૫% નો વધારો થયો છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ ૫૬૨૪ વિદ્યાર્થીનીઓને લાભ મળેલ જે વધીને વર્ષ ૨૦૧૮-૧૯માં ૯૨૩૦ થયેલ છે. એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના અમલીકરણ પછીવાલીઓ પર ઉચ્ચ અભ્યાસના ખર્ચનું ભારણ ઘટ્યું હોવાથી લાભાર્થી વિદ્યાર્થીનીઓની સંખ્યામાં ૬૪% જેટલો વધારો થયેલ છે. આ કારણોસર ગરીબ વિદ્યાર્થીનીઓ પણ આ સહાય મળવાના કારણે મનગમતા અભ્યાસક્રમ અને મનગમતી કોલેજમાં અભ્યાસ કરતા થયા છે.

સરકારી મેડીકલ, ડેન્ટલ, ઈજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીનાં વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવો પડે તો તેવા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજ અને સરકારી કોલેજની ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર છે. આ જોગવાઈના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન ૧૮ થી ૧૯ લાખ સુધીની સહાય ચુકવવામાં આવેલ છે.

કેટલાક વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓના કિસ્સામાં આ યોજના અંતર્ગત ચાર વર્ષ દરમિયાન યોજનાકીય આર્થિક સહાયની રકમ નોંધપાત્ર રીતે વધી છે જે તેમના તબિબિ અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ સાબિત થઇ છે. ઉદાહરણ તરીકે Smt. N. H.L Municipal Medical College, Ahmedabadમાં અભ્યાસ કરતા સુરેજા અભી દિપકભાઇને MBBS અભ્યાસક્રમના સમયગાળા દરમ્યાન (૨૦૧૫થી ૨૦૧૯) કુલ રૂા. ૧૮,૦૯,૦૦૦=૦૦ સહાય અને Surat Mun. inst. Of Medical Education and Research, Surat માં અભ્યાસ કરતી કોલડિયા નિરાલી કનુભાઈને MBBS અભ્યાસક્રમના સમયગાળા દરમ્યાન (૨૦૧૫થી ૨૦૧૯) કુલ રૂા. ૧૯,૨૬,૦૦૦=૦૦ શિષ્યવૃત્તિ ચુકવવામાં આવેલ છે.

આવું બીજુ એક ઉદાહરણ જોઇએ તો, પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ ગોકુલ નગર, કરમસદમાં અભ્યાસ કરતીભટ્ટ નેહલ કેતનને MBBS અભ્યાસક્રમના સમયગાળા દરમ્યાન (૨૦૧૫થી ૨૦૧૯) કુલ રૂા. ૧૯,૨૧,૫૦૦=૦૦ સહાય ચુકવવામાં આવેલ છે અને આ જ કોલેજમાં અભ્યાસ કરતી લધાની નેહા રાજેશને MBBSઅભ્યાસક્રમના સમયગાળા દરમ્યાન (૨૦૧૭થી ૨૦૨૧) કુલ રૂા. ૨૭,૪૫,૦૦૦=૦૦ શિષ્યવૃત્તિ મેળવશે.

MBBS અભ્યાસક્રમમાંવધુમાં વધુ તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ જોડાય તે માટે વર્ષ ૨૦૧૭-૧૮ થી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત રૂા. ૨ લાખની સહાય ઉપરાંત માન.મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ અંતર્ગત વધારાની રૂા. ૪ લાખની સહાય આપવામાં આવે છે. આથી MBBSના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીનીઓ અભ્યાસક્રમના સમયગાળા દરમ્યાન કુલ રૂા. ૨૭.૬૪ લાખની શિષ્યવૃત્તિ સહાય સરકારશ્રી તરફથી મેળવી શકે છે.

આ યોજનાના અમલીકરણ વર્ષ ૨૦૧૫-૧૬ શરૂઆતમાં ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૯૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ અને વાલીની વાર્ષિક આવક રૂા.૪.૫૦ લાખથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓને જ આ યોજના અંતર્ગત લાભ પ્રાપ્ત થતો હતો.વધુમાં વધુ તેજસ્વી અને જરુરિયાતમંદ વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે માટે વર્ષ ૨૦૧૬-૧૭ થી ૮૦ કે તેથી વધુ પર્સેન્ટાઈલ અને વાલીની વાર્ષિક મર્યાદા આવક રૂા. ૬ લાખનો સુધારો કરવામાં આવેલ છે.જેને પરિણામે, આ યોજનાની હકારાત્મક અસર એ પડી છે કે પછીના વર્ષે (૨૦૧૬-૧૭) દરમ્યાન લાભાર્થીઓની કુલ સંખ્યામાં લગભગ ૪૫% નો વધારો થયો છે.

આ યોજના અંતર્ગત જે વિદ્યાર્થીનીઓએ લાભ લીધો છે તેની વિગત જોઇએ તો વર્ષ ૨૦૧૫-૧૬માં કુલ ૫૬૨૪ વિદ્યાર્થીનીઓને લાભ મળેલ જે વધીને વર્ષ ૨૦૧૮-૧૯માં ૯૨૩૦ થયેલ છે. એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાના અમલીકરણ પછીવાલીઓ પર ઉચ્ચ અભ્યાસના ખર્ચનું ભારણ ઘટ્યું હોવાથી લાભાર્થી વિદ્યાર્થીનીઓની સંખ્યામાં ૬૪% જેટલો વધારો થયેલ છે. આ કારણોસર ગરીબ વિદ્યાર્થીનીઓ પણ આ સહાય મળવાના કારણે મનગમતા અભ્યાસક્રમ અને મનગમતી કોલેજમાં અભ્યાસ કરતા થયા છે.

સરકારી મેડીકલ, ડેન્ટલ, ઈજનેરી કોલેજોમાં જનરલ બેઠકો પર અનામત કક્ષાના વિદ્યાર્થીઓ જે સંખ્યામાં પ્રવેશ મેળવે અને તેને કારણે જનરલ કેટેગરીનાં વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજમાં પ્રવેશ મેળવો પડે તો તેવા વિદ્યાર્થીઓને સ્વનિર્ભર કોલેજ અને સરકારી કોલેજની ફીના તફાવતની રકમ સહાય પેટે મળવાપાત્ર છે. આ જોગવાઈના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમના સમયગાળા દરમિયાન ૧૮ થી ૧૯ લાખ સુધીની સહાય ચુકવવામાં આવેલ છે.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ઉપરાંતમાન. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ઓછી મહિલા સાક્ષરતા તાલુકાઓની કન્યાઓ, શહીદ જવાનોના સંતાનો, શ્રમિક વાલીના બાળકો, ૪૦% થી વધુ વિકલાંગતા ધરાવતા વાલીના બાળકો, વિધવા/ ડીવાર્સી/ત્યકતા મહિલાના બાળકો, અનાથ બાળકો; કે જેઓ ધો-૧૨ની પરીક્ષા પાસ કરી ઉચ્ચ અભ્યાસક્રમ અર્થે મેરિટનાં આધારે આર્થિક સહાય મળવાપાત્ર છે. એટલે કે ઉક્ત દર્શાવેલ ૦૭ કેટેગરીમાં સમાવિષ્ટ થતા બાળકોને  મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં ૫૦% ટ્યુશન ફી અને માન. મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત બાકીની ૫૦% ટ્યુશન ફી મળી રહે છે

આ યોજનાની નોંધપાત્ર બાબત એ છે કે વર્ષ ૨૦૧૭-૧૮થી તમામ પ્રક્રિયા ઓનલાઈન છે. રાજ્યભરમાં ૨૫૦ જેટલા હેલ્પ-સેન્ટરો છે. વિદ્યાર્થીઓનેઅરજી કર્યા તારીખથી માત્ર ૨ મહિનામાં વિદ્યાર્થીના બેન્ક એકાઉન્ટમાં DBT મારફતે સહાય જમા કરાવવામાં આવે છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૫ થી અત્યારસુધીમાં કુલ ૧,૯૯,૩૮૩ વિદ્યાર્થીઓને કુલ રૂા. ૭૮૦ કરોડની સહાય ચુકવવામાં આવેલ છે. આમ, આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા તથા તમામ વર્ગના વિદ્યાર્થીઓને સમાન તક પૂરી પાડવા આ યોજના ખુબ જ ઉપયોગી સાબિત થઇ છે.

રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાના લક્ષ્યમાં આર્થિક પાસું નડતરરૂપ ન બને તે માટેના હરહમેશ પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર દ્વારા તમામ વર્ગોના તેજસ્વી અને જરૂરીયાતમંદ યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે જરૂરી આર્થિક સહાય મળી રહે તે હેતુથી વર્ષ ૨૦૧૫-૧૬ થી ‘મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના’ અમલમાં મુકવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.