Western Times News

Gujarati News

રજનીકાંત પર આપત્તિજનક ટીપ્પણીનો આરોપ

ચેન્નઈ: તમિલ સુપરસ્ટાર રજનીકાંત પર પેરિયાર ઈવી રામાસામીની વિરુદ્ધ કથિત રૂપે ટિપ્પણી કરતા મુશ્કેલીમાં મૂકાયા છે. દ્રવિડિયન વિદુથલાઇ કાઝગમના સભ્યોએ રજનીકાંત વિરુદ્ધ પેરિયાર પર કથિત રૂપથી ટિપ્પણી કરવાને લઈને FIR દાખલ કરવાની માંગ કરી છે.

રજનીકાંત પર પેરિયાર વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. દ્રવિડ વિદુથલાઈ કાઝગમના સદસ્યોએ રજનીકાંત વિરુદ્ધ IPCની કલમ 153(A) હેઠળ મામલો દાખલ કરવાની માંગ કરી છે. દ્રવિડ વિદુથલઈ કાશગમ (DVK)એ શુક્રવારે સુપરસ્ટાર રજનીકાંત પર સમાજ સુધારક પેરિયાર દ્વારા 1971માં યોજેલી રેલીમાં ખોટું બોલવાનો આરોપ લગાવ્યો છે. જેના પગલે રજનીકાંતને માફી માંગવાની માંગ કરી છે.

DVK અધ્યક્ષ કોલાથુપ મણીએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો કે, અભિનેતા રજનીકાંત ખોટુ બોલ્યા છે કે, 1971માં સલેમમાં અંધવિશ્વાસ ઉન્મૂલન સંમ્મેલન હેઠળ ભગવાન રામ અને સીતાની નિર્વસ્ત્ર તસ્વીર બતાવવામાં આવી હતી. સંગઠને કહ્યું કે, અભિનેતાએ 14 જાન્યુઆરી એક પત્રિકામાં કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. મણીએ અભિનેતાને કોઈ પણ શરતે માફી માંગવાની માંગ કરી અને કહ્યું કે, તેમના સંગઠને રજનીકાંત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. રજનીકાંતે એમ કરૂણાનિધિ અને પેરિયાર ઈવી રામાસામી પર કથીત રૂપે અપમાનજનક ટિપ્પણી કરી હતી. રજનીકાંતે કહ્યું હતું કે,’પરિયાર હિન્દૂ દેવતાઓના કટ્ટર આલોચક હતા, પરંતુ તે સમયે કોઈએ પેરિયારની કોઈ પણ આલોચના કરી નહતી.

‘તે માત્ર ચો (રામાસમી) હતા જેમણે પેરિયારથી મોરચો લીધો હતો, જેને કરુણાનિધિને પસંદ ન હતી. ચોને કરૂણાનિધિએ ક્રોધનો સામનો કરવો પડ્યો. DVKના સંરક્ષકએ તેમણે મુફતમાં પબ્લિસિટી આપી અને પૂર્ણ દેશમાં લોકપ્રિય બનાલી હતી. રામાસામી તે સમયની સરકારને કટ્ટર વિરોધી હતી.’


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.