Western Times News

Gujarati News

નાના વેપારીઓને GST રિટર્ન ભરવા માટે વધુ સમય મળશે

નવી દિલ્હીઃ નાના વેપારીઓ માટે 5 કરોડ રૂપિયા અથવા તેનાથી ઓછી રકમના વાર્ષિક વેપારીઓ માટે સારા સમાચાર છે. સરકારે માસિક GST રિર્ટન કરવાની છેલ્લી તારીખ બાદ ચાર દિવસનો વધારો કરવાની ઘોષણા કરવામાં આવી છે. 5 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ વાર્ષિક વેપાર કરનારી કંપનીને રિર્ટન ફાઇલિંગની તારીખ 20 જ રહેશે.

નાણાં મંત્રીએ કરેલી જાહેરાત અનુસાર, જે કંપનીનો વેપાર 5 કરોડ રૂપિયાથી ઓછું છે અને 15 રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયેલ છે. જીએસટીઆર -3 બી રિટર્ન મહિનાની 22 મી તારીખે મોડું ફી લીધા વિના ચૂકવવું પડશે.

બુધવારે નાણાં મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું કે, “આ કેટેગરીમાં લગભગ 49 લાખ જીએસટીઆર -3 બી ફિલર્સ હશે, જે હવે દર મહિને 22 તારીખે જીએસટીઆર -3 બી રિટર્ન ફાઇલ કરશે.” આ સિવાય 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 46 લાખ કરદાતાઓ મહિનાની 24 મી તારીખે મોડું કર્યા વિના જીએસટીઆર -3 બી ચૂકવશે.

નાણાં મંત્રાલયે કહ્યું કે, “આ સંદર્ભે જરૂરી સૂચના સક્ષમ અધિકારી દ્વારા પછીથી જારી કરવામાં આવશે. જીએસટીઆર -3 બી ફાઇલ કરવા અને અન્ય રિટર્ન ભરવામાં કરદાતાઓને પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.” નાણાં મંત્રાલયનું કહેવું છે કે, “જીએસટીએન (જીએસટી નેટવર્ક) ઈન્ફોસિસ સાથે આ બાબતે ચર્ચા કરવામાં આવી છે, જે કામચલાઉ પરંતુ તાત્કાલિક પગલા તરીકે પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે ઉપરોક્ત ઉકેલો લઈને આવી છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.