Western Times News

Gujarati News

CAA NRC: જુહાપુરા સહિતના વિસ્તારો બંધ

સીએએ અને એનઆરસીના વિરોધમાં અપાયેલા બંધ ના એલાનના પગલે પોલીસ એલર્ટ  : સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું સતત પેટ્રોલીંગઃ તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવા આદેશ

(પ્રતિનિધિ) અમદાવાદ: કેન્દ્ર સરકારે અમલી બનાવેલા સીએએ અને એનઆરસીના વિરોધમાં અપાયેલા ભારત બંધ ના એલાનના પગલે ગુજરાતમાં પણ કાયદો વ્યવસ્થાની  પરિસ્થિતિ  જળવાઈ રહે તે માટે ગૃહ વિભાગ દ્વારા તમામ પગલા ભરવામાં આવ્યા છે. અગાઉ રેલી યોજવાના મુદ્દે પોલીસતંત્ર દ્વારા બંદોબસ્ત દરમિયાન કેટલાક તોફાની તત્વોએ હુમલો કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હતો.


આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે જાવા માટે પોલીસ અધિકારીઓને તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. બીજીબાજુ આજે સવારથી જ શહેરના જુહાપુરા સહિત લઘુમતી બહુમતી ધરાવતા વિસ્તારો બંધ જાવા મળી રહ્યા છે અને આ તમામ વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી ેદેવામાં આવ્યો છે.

આ અંગેની વિગત એવી છે કે સીએએ અને એનઆરસીનો કેટલાક રાજકીય પક્ષો તથા સંગઠનો વિરોધ કરી રહયા છે જાકે બીજીબાજુ સરકાર આ કાયદાના અમલ માટે મક્કમ છે અને કોઈપણ સંજાગોમાં તેમાં બાંધછોડ નહી કરવામાં આવે તેવુ જણાવવામાં આવ્યું છે. આ પરિસ્તિતિમાં  દેશના કેટલાક ભાગોમાં તેનો વિરોધ કરવામાં આવી રહયો છે અને તેનો લાભ તોફાની તત્વો ઉપાડી રહયા છે.

દેશમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ થઈ રહયો છે આ પરિÂસ્થતિમાં આજે તા.ર૯મીએ અપાયેલા બંધ ના એલાનને કેટલાક સંગઠનોએ ટેકો જાહેર કર્યો છે. અમદાવાદ શહેરમાં પણ આ બંધ ના એલાનને બે જેટલા ધારાસભ્યોએ ટેકો જાહેર કરી શાંતિ જાળવવા અપીલ કરી છે. અગાઉ આ કાયદાના વિરોધમાં રેલી યોજવામાં આવી હતી અને રેલી દરમિયાન તોફાની તત્વોએ પોલીસ પર હુમલો કર્યો હતો જેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે.

બંધ ના એલાનના પગલે છેલ્લા બે દિવસથી રાજયના ગૃહ વિભાગ દ્વારા રાજયભરના ઉચ્ચ અધિકારીઓની બેઠકો યોજાઈ રહી હતી અને તેમાં ખાસ કરીને મોટા શહેરોમાં બંધ ના એલાન દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્તિતિ  જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય કર્યો હતો અને તે મુજબ ગઈકાલ સાંજથી જ રાજયના તમામ શહેરોમાં પોલીસને હાઈ એલર્ટ કરી દેવામાં આવી હતી. અમદાવાદ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ગઈકાલ સાંજથી જ પેટ્રોલીંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર આશિષ ભાટિયાની આગેવાનીમાં ગઈકાલે દિવસ દરમિયાન તબક્કાવાર બેઠકો યોજાઈ હતી આ બેઠકમાં શહેરના જુહાપુરા, ત્રણ દરવાજા, રિલીફ રોડ, ગાંધી રોડ, રખિયાલ સહિતના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવાનો નિર્ણય કરાયો હતો અને તે મુજબ આજે સવારથી જ આ તમામ વિસ્તારોમાં પોલીસનો સશ† બંદોબસ્ત જાવા મળી રહયો છે.
તોફાની તત્વો સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ પણ અપાયો છે અને મોટાભાગના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી રહી છે

આ ઉપરાંત આ તમામ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહયું છે અને આ વિસ્તારોમાં સશ† જવાનો પણ તૈનાત કરી દેવાયા છે. બંધ ના એલાનના પગલે કેટલીક સેવાઓ પ્રભાવિત થવાની શક્યતા છે.

આજે સવારથી જ શહેરના જુહાપુરા સહિતના વિસ્તારોમાં બંધ ની અસર જાવા મળી રહી છે. આ વિસ્તારોમાં દુકાનો અને બજારો બંધ છે. જાકે આજે દિવસ દરમિયાન બંધ ના એલાનમાં કેટલાક સ્થળો પર દેખાવો પણ યોજવામાં આવનાર છે જેના પગલે પોલીસ તંત્ર દ્વારા આ સ્થળો પર વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં આજ ના બંધ ના એલાનના પગલે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે ત્યારે તોફાની તત્વો સરકારી મિલકતોને નુકશાન ન પહોચાડે તે માટે તકેદારીના તમામ પગલાં ભરવામાં આવી રહયા છે. આ ઉપરાંત પોલીસ અધિકારીઓને પણ ખાસ તાકિદ કરવામાં આવી છે.

શહેરના કાલુપુર સહિતના વિસ્તારોમાં સવારે કેટલાક સ્થાનિક યુવકો બંધ કરાવવા માટે રસ્તા પર ઉતર્યાં હતા ખાસ કરીને રીક્ષા ચાલકોને બંધ ના એલાનમાં જાડાવા માટે અપીલ કરી હતી આ ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ આજ પરિÂસ્થતિ જાવા મળતી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.