Western Times News

Gujarati News

મુનશીવાડા ગામે આઈશ્રીખોડિયાર માતાજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતે યોજાયો

ભિલોડા: મોડાસા તાલુકાના મુનશીવાડા ગામમાં  આઈશ્રીખોડિયાર માતાજી મંદિરની  ભવ્ય ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થી સમગ્ર ગામ  માં છેલ્લા બે દિવસ થી ગામ ભક્તિમય માં રંગાયું ગામ માં યુવાનો યુવતીઓ અને ગ્રામજનોએ એક જ કલર ના ડ્રેસ કોડ થી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

આજે આઈ શ્રી ખોડિયાર  માતાજીની જન્મ જ્યંતી ના પવિત્ર દિવસે ભવ્ય ભાવ પ્રતિષ્ઠા  વૈદિક મંત્રોચ્ચાર  કરી પ્રાણ પ્રતિષ્ઠા માં ગામના આગેવાન અને સાબરડેરી ના વાઈસ ચેરમેન જ્યંતીભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સહકારી બેન્ક ના  મેનેજિંગ ડિરેક્ટર અને પૂર્વ સરપંચ પંકજભાઈ એન પટેલ,શામળાજી વિષ્ણુ મંદિર ના મેનેજર કનુભાઈ પટેલ,નરેશભાઈ પટેલ એડવોકેટ અને ચિરાગભાઈ પટેલ સહિત ના ગ્રામજનોએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં જોડાયેલા હતા તેમજ આસપાસ ના સાત ગ્રામજનોએ ભક્તિ મય માં રંગાયું હતું

મજુમ ડેમ બનતા નવી વસાહતમાં મુન્શીવાડ ગામ માં સિંચાઈ વિભાગના દ્વારા માં ખોડલ નું નાનું મંદિર બનાવેલ હતું જેથી ગામમાં માતાજી ની કૃપાથી ગ્રામજનો ની અસ્થા અને વિશ્વાસ હતો કોઇ પણ ને માતાજી ના મંદિર માં માનતા આખડી બાધા રાખે તેના સઘળા દુખો દૂર કરી આપતા જેના થકી ગ્રામજનોએ એકત્રિત થઈ મંદિર ને વિશાળ બનાવવામાં આવ્યું અને આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયો વોલવા,સંજેલી ,દોલપુર,શિનાવાડ  સહિત ના ગ્રામજનોએ આ ભક્તિ ભાવ સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં ભાગ લઈ ભક્તિ ના રંગ માં રંગાયા હતા.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.