Western Times News

Gujarati News

ખેડબ્રહ્મા શહેરમાં અચલેશ્વર મહાદેવ મંદિરમાં ભાગવત ભાગવત કથાનું આયોજન કરાયું

ખેડબ્રહ્મા શહેર ના ગામ વિસ્તારમાં આવેલ અચલેશ્વર મહાદેવ મંદિરે તુલસી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું. તારીખ 1-2- 2020 થી તારીખ 7- 2 -2020 સુધી ભાગવત કથાનું રસપાન મૂળ ખેડબ્રહ્મા ના રહીશ એવા વિદ્વાન શાસ્ત્રી નિરવકુમાર રાકેશભાઈ ત્રિવેદીએ કરાવ્યું હતું. સાત દિવસ સુધી ખેડબ્રહ્માના લોકોએ કથાનું રસપાન કર્યું હતું.

કથાના અંતિમ દિવસ તારીખ 7- 2 -2020 ને શુક્રવારના દિવસે કથાનું સમાપન હતું.. આ દિવસે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રમીલાબેન બારા નું  સન્માન કરાયું હતું.       આ પ્રસંગે ખેડબ્રહ્મા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સુરેશભાઈ પટેલ,ખેડબ્રહ્મા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અરવિંદ ભાઈ રાવલ તથા ખેડબ્રહ્મા શહેરના અગ્રણીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.