Western Times News

Gujarati News

ન્યૂઝીલેન્ડ સામે ભારત ત્રીજી વન-ડે હાર્યું, 31 વર્ષમાં પ્રથમવાર વ્હાઈટવોશ થયો

માઉન્ટ મોંગેરી, ભારતનો ન્યૂઝીલેન્ડ સામે ત્રીજી વન-ડેમાં પરાજય થતા સીરિઝમાં 3-0થી વ્હાઈટવોશ થયો છે. 31 વર્ષમાં સૌપ્રથમ વખત ભારતીય ટીમનો વ્હાઈટવોશ થયો છે. કે એલ રાહુલની સદી તેમજ શ્રેયસ ઐયરની અડધી સદીની મદદથી ભારતીય બેટ્સમેનો મહેનતને પગલે સન્માનજનક 296નો સ્કોર ઉભો કરવામાં સફળ રહેલી ભારતીય ટીમના બોલર્સે સરેરાશ પ્રદર્શન કરતા ભારતનો ત્રીજી વન-ડેમાં પરાજય થયો હતો. આ સાથે જ ત્રણ વન-ડેની સીરિઝમાં ભારત એકપણ મેચ જીતી નથી શક્યું. ભારતના ઝડપી બોલર અને યોર્કર કિંગ ગણાતો જસપ્રિત બુમરાહ વધુ એક વખત નિષ્ફળ ગયો છે. બુમરાહે 10 ઓવરમાં 50 રન આપ્યા હતા અને એકપણ વિકેટ પ્રાપ્ત કરી નહતી.

ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. જેમાં રાહુલ અને ઐયરની મહેતનથી ભારતે 50 ઓવરમાં સાત વિકેટે 296 રનનો સ્કોર કર્યો હતો. જો કે ભારતીય બોલર્સની એવરેજ બોલિંગને પગલે ન્યૂઝીલેન્ડે 47.1 ઓવરમાં જ પાંચ વિકેટ ગુમાવીને આ ટાર્ગેટ પ્રાપ્ત કરી લેતા પાંચ વિકેટે વિજય થયો હતો.

ભારત તરફથી બેટિંગમાં પૃથ્વી શોએ 40 રન કર્યા હતા જ્યારે ઐયરે 62, રાહુલે 112 અને મનીષ પાંડેએ 42 રન કર્યા હતા. આ સિવાય અન્ય કોઈપણ બેટ્સમેન બે આંકડામાં સ્કોર નોંધાવી શક્યો નહતો. બીજીતરફ ભારતીય ટીમની કંગાળ બોલિંગને પગલે ન્યૂઝીલેન્ડને દબાણ હેઠળ રાખવામાં ભારત નિષ્ફળ ગયું હતું. યુઝવેન્દ્ર ચહલે ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે શાર્દુલ ઠાકુર અને રવિન્દ્ર જાડેજાએ એક-એક વિકેટ ઝડપી હતી. આ સિવાય સૈની એન બુમરાહ એકપણ વિકેટ ઝડપી શક્યા નહતી. ન્યૂઝીલેન્ડની ટીમમાં ગુપ્ટિલ (66), નિકોલ્સ (80) અને ગ્રાન્ડહોમેએ (58 નોટ આઉટ) અડધી સદી ફટકારી હતી.

આ ઉપરાંત કેપ્ટન વિલ્યમસને 22 રન અને લેથમેને 32 રન ફટકારતા ટીમને જીત તરફ દોરવી ગયા હતા. કિવી બેટ્સમેન લેથમેને 28 બોલમાં 58 રનની અણનમ ઈનિંગ રમી હતી જેમાં ત્રણ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. લેથમેનની ઈનિંગ મેચ માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ હતી. ભારતીય બોલર્સની નબળી બોલિંગને પગલે સમયાંતરે વિકેટ ના મળતા ન્યૂઝીલેન્ડે ભારતનો 3-0થી વ્હાઈટવોશ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.