Western Times News

Gujarati News

રિવરફ્રંટ પરથી પડતું મુકી બે યુવકોની આત્મહત્યા

Files Photo

ગીરધરનગર બ્રીજ પરથી યુવકે મોતની છલાંગ લગાવી

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં આત્મહત્યાની વધતી જતી ઘટનાઓના પગલે સાબરમતી રિવરફ્રંટ પર પોલીસનું સતત પેટ્રોલીંગ કરવામાં આવી રહયું છે આ ઉપરાંત તરવૈયાઓની ટીમો પણ સતત તૈનાત હોવા છતાં રિવરફ્રંટ પરથી નદીમાં ઝંપલાવી નાગરિકો આત્મહત્યા કરી રહયા છે.

એક જ દિવસમાં રિવરફ્રંટ પર આત્મહત્યાની બે ઘટનાઓ બની છે શહેરમાં કુલ ચાર વ્યÂક્તઓએ આત્મહત્યા કરી છે જેમાં ૧૮ વર્ષની યુવતિનો પણ સમાવેશ થાય છે.


અમદાવાદ શહેરની મુલાકાતે ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહયા હોવાથી શહેરભરમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ખાસ કરીને રિવરફ્રંટ ઉપર પણ મોટી સંખ્યામાં જવાનો તૈનાત છે સાબરમતી રિવરફ્રંટના કારણે સાબરમતી નદીમાં બે કાંઠે પાણી વહેતુ હોવાથી આત્મહત્યા કરનારાઓ માટે આ સ્પોર્ટ મહત્વપૂર્ણ બની ગયું છે જેના પગલે રિવરફ્રંટ પર બે અલાયદા પોલીસ સ્ટેશનો પણ બનાવવામાં આવ્યા છે અને તરવૈયાઓની ટીમો પણ તૈનાત હોય છે તેમ છતાં આત્મહત્યાની ઘટનાઓ ઘટી રહી છે.

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં બળીયાનગરમાં રહેતા જયેશભાઈ મકવાણા નામનો યુવક ગઈકાલે રિવરફ્રંટ પર પશ્ચિમ તરફના ભાગે એલીસબ્રીજ તરફના વોક વે ખાતેથી નદીમાં ઝંપલાવ્યું હતું આ અંગેની જાણ થતાં જ તરવૈયાઓની ટીમોએ ભારે જહેમત બાદ જયેશભાઈનો મૃતદેહ બહાર કાઢયો હતો અને આ અંગેની જાણ તેમના પરિવારજનોને કરવામાં આવી હતી.

આ ઘટનાની હજુ તપાસ ચાલુ હતી ત્યાં જ રિવરફ્રંટ વેસ્ટ પર આત્મહત્યાની વધુ એક ઘટના ઘટી હતી. ન્યુ રાણીપ જૈનમ સ્કુલ પાસે આવેલા ગણપતિનગરમાં રહેતો સંજીવ રાઠોડ નામનો ર૪ વર્ષનો યુવક રિવરફ્રટ પશ્ચિમ તરફના ભાગે આંબેડકરબ્રીજ નીચે વોક વે પરથી અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવ્યું હતું ઘટનાની જાણ થતાં તરવૈયાઓએ સંજીવનો મૃતદેહ બહાર કાઢી રિવરફ્રંટ વેસ્ટ પોલીસને સોંપ્યો હતો

પોલીસે સંજીવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી તેના પરિવારજનોને જાણ કરી જાકે આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. આત્મહત્યાની વધુ એક ઘટના શાહીબાગ વિસ્તારમાં બની છે જેમાં માધુપુરા ખલીફા કબ્રસ્તાન પાસે રહેતા ઈમરાનશેખે રાત્રિના સમયે અગમ્ય કારણોસર ગીરધરનગર બ્રીજ પરથી નીચે પડતું મુકી અંતિમ પગલું ભર્યું હતું ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી ગઈ હતી અને આ અંગે અકસ્માતે મોત નોંધી આત્મહત્યાનું કારણ જાણવા પરિવારજનોની પુછપરછ શરૂ કરવામાં આવી છે.

ઈસનપુર વિસ્તારમાં પણ આત્મહત્યાની એક ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં ઈસનપુર માતૃભૂમિ ટેનામેન્ટમાં રહેતી ૧૮ વર્ષની મનીષાબેન લોધા નામની યુવતિએ પોતાના ઘરમાં જ ગળે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ લેતા સનસનાટી મચી ગઈ હતી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા ઈસનપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોચી ગઈ હતી અને મનીષાબહેનના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.