Western Times News

Gujarati News

પંચમહાલ જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી

જિલ્લાના 6,10,639 બાળકોને આંગણવાડી કેન્દ્રો-શાળાઓ ખાતે  કૃમિનાશક ગોળી આપવાનું આયોજન    

 ગોધરા:  પંચમહાલ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે 27મી ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાના 1 થી 19 વર્ષના 6,10,639 બાળકોને આંગણવાડી કેન્દ્રો-શાળાઓ ખાતે કૃમિનાશક દવા આપવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્ષમાં બે વાર નેશનલ ડિવોર્મિંગ ડે (રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ)ની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત 1 થી 19 વર્ષના બાળકોને કૃમિનાશક દવા આલ્બેંડાઝોલ આપવામાં આવે છે.

આ શ્રેણીમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહની પ્રેરક ઉપસ્થિતિમાં ગોધરાની અમન-ડે સ્કૂલ ખાતે ઉજવણી કાર્યક્રમ યોજાશે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ 1 થી 19 વર્ષના બાળકોના વાલીઓને પોતાના બાળકોને એનીમિયાથી બચાવવા માટે પાસેના આંગણવાડી કેન્દ્ર કે સ્કૂલમાં લઈ જઈ કૃમિ નાશક દવાનો ડોઝ અપાવવા અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.