Western Times News

Gujarati News

ભારતમાં પણ કોરોનાથી હાલત ખરાબ : ૧૦થી વધારે નવા કેસો

ભારતમાં કોરોના વાયરસ સંકટ હવે વધુ ઘેરુ બની રહ્યુ છે. આજે સવાર સુધીમાં ૧૦ નવા કેસો સપાટી પર આવનતા કોરોના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને ૧૪૮ ઉપર પહોંચી ગઇ છે. આ ૧૪૮ કેસો પૈકી ૧૨૩ ભારતીય અને ૨૫ વિદેશી દર્દીઓ રહેલા છે. ૧૪૮ કેસો પૈકી સૌથી નવો પોઝિટીવ કેસ મહારાષ્ટ્રના પુણેમાં સપાટી પર આવ્યો છે. ત્યાં એક મહિલા કોવિડ-૧૯ના ઇન્ફેક્શનના સકંજામાં આવી ગઇ છે. અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે હવે મહારાષ્ટ્‌માં કુલ કેસોની સંખ્યા વધીને ૪૨ ઉપર પહોંચી ગઇ છે. જે મહિલા પુણેમાં ટેસ્ટ પોઝિટીવ આવી છે તેની વય ૨૮ વર્ષની હોવાનુ જાણવા મળ્યુ છે.

મહિલા ફ્રાન્સ અને નેધરલેન્ડની યાત્રા કરીને આવી છે. જિલ્લા કલેક્ટર નવલ કિશોર શર્માએ કહ્યુ છે કે મહિલા ૧૫મી માર્ચના દિવસે ભારત પરત ફરી હતી. તેને ૧૭મી માર્ચના દિવસે હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવી હતી. દેશના મોટાભાગના રાજ્યોમાં સ્કુલ કોલેજા, મલ્ટીપ્લેક્સ, સિનેમાહોલ અને મોલને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી ચુકી છે. હોસ્પિટલમાં  પણ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. દેશના અન્ય રાજ્યો પહેલાથી શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાના નિર્ણય કરી ચુક્યા છે.કોરોનાના કહેરે હવે શ્રદ્ધાળુઓમાં પણ દહેશત ફેલાવી દીધી છે.

મુંબઈના લોકપ્રિય સિદ્ધિ વિનાયક મંદીરને આગામી આદેશ સુધી બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. મંદિર હવે ક્યારે ખુલશે તે સંદર્ભમાં મોડેથી સૂચના જારી કરવામાં આવશે. આ મંદિર ભારેભરચક વાળા વિસ્તારમાં આવે છે. આવી સ્થિતિમાં  કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં લઇને નિર્ણય લેવાયો છે. મુંબઈ પોલીસે પહેલાથી જ કલમ ૧૪૪ લાગૂ કરી દીધી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની વાત કરવામાં આવે તો પુણેમાં સૌથી વધુ કેસો સપાટી પર આવ્યા છે.કોરોના વાયરસનો સામનો કરવા માટે દિલ્હીમાં એક પછી એક પગલા લેવામાં આવી રહ્યા છે. હવે કોઇપણ પ્રકારના કાર્યક્રમ, પ્રદર્શનમાં ૫૦થી વધુ લોકો એકત્રિત થઇ શકશે નહીં.

પહેલા આ સંખ્યા ૨૦૦ રાખવામાં આવી હતી. અલબત્ત લગ્ન પ્રસંગને રાહત આપવામાં આવી છે. જીમ, નાઇટ ક્લબ, સ્પાને પણ ૩૧મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય કરાયો છે. કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ભારતમાં તકેદારીના તમામ પગલા લેવાઈ રહ્યા છે. ઘણા પ્રવાસી સ્થળો પણ બંધ કરવામાં આવ્યા છે. ચાર કેન્દ્રશાસિત પ્રદેશ સહિત ૧૫ રાજ્યો કોરોનાના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોનાના સૌથી વધારે કેસો મહારાષ્ટ્રમાં નોંધાયા છે. જ્યાં કેસોની સંખ્યા વધીને ૪૨ ઉપર પહોંચી ચુકી છે.

ભારતમાં ૨૫ વિદેશી લોકો પણ કોરોના વાયરસના સકંજામાં આવી ગયા છે. ભારતમાં કોરોના વાયરસને રોકવા માટે વિશ્વના અન્ય દેશોની તુલનામાં વધારે પગલા લેવામાં આવી રહ્યા છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને પણ પરત લાવવામાં આવી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસ થયા બાદ ૧૪ લોકો સ્વસ્થ થઇ ચુક્યા છે. ભારતમાં કોરોનાના કારણે ત્રણેના મોત થયા છે. કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકાર અને જુદા જુદા રાજ્યોમાં પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.

ગયા વષ ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરથી કોરોના વાયરસની શરૂઆત થયા બાદથી ભારત સહિત દુનિયાના ૧૬૬ દેશોના કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે. અસરગ્રસ્તોની સંખ્યા રેકોર્ડ સપાટી ઉપર પહોંચી છે. ભારતમાં પણ આંકડો વધી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં અનેક નવા કેસો નોંધાતા તંત્ર ચિંતાતુર છે. કોરોના વાયરસના ફેલાવવાને રોકવા દેશમાં યુદ્ધના ધોરણે પગલા લેવાઈ રહ્યા છે. પોતાના નાગરિકોને બહારથી પણ ખસેડવામાં આવી ચુક્યા છે. વિરોધ પક્ષો પણ પ્રશંસા કર્યા વગર રહી શક્યા નથી. ભારતમાં હજુ સુધી ૮૦ હજારથી વધારે સેમ્પલોના ટેસ્ટ થઇ ચુક્યા છે.

૩૫૦૦૦થી પણ વધારે કોમ્યુનિટી સર્વેલાન્સ પર રાખવામાં આવ્યા છે. આઈસીએમઆરના વૈજ્ઞાનિક ગંગા ખેડકરે કહ્યું છે કે, હજુ અમારી પાસે એક લાખ કિટ ઉપલબ્ધ છે. બે લાખથી વધારે કિટના આદેશ આપવામાં આવી ચુક્યા છે. સેમ્પલ ટેસ્ટ માટે ૬૫ લેબ ઉભી કરવામાં આવી છે જ્યારે સેકન્ડરી ટેસ્ટ કરવા માટે ૩૨ લેબ ઉભી કરવામાં આવી છે.આ તમામ ચીજા દર્શાવે છે કે, ભારતમાં કોરોના સામે લડવામાં વધુ જારદારરીતે કાર્યવાહી થઇ રહી છે.કોરોના વાયરસના આતંકને રોકવા માટે જુદા જુદા રાજ્યોમાં એરપોર્ટ ઉપર પણ કઠોર ચકાસણી થઇ રહી છે.

૨૨મી જાન્યુઆરીના દિવસથી જ ચકાસણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ભારતમાં શરૂઆતથી જ આઈસોલેશન કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે. આજ કારણસર વિદેશમાંથી ખસેડવામાં આવેલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. ભારતમાં અન્ય દેશોની તુલનામાં કેસો ઓછા છે અને સ્થિતી કાબુમાં છે છતાં સંકટ વધારે ગંભીર બની શકે છે. કારણ કે નવા કેસો નોંધાઇ રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.