Western Times News

Gujarati News

ભારત માટે સારી ખબર: કોરોના વાયરસ હજી કોમ્યુનિટી લેવલે ફેલાયો નથી

નવી દિલ્હી, ભારતમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસ વચ્ચે એક સારો સંકેત એ મળ્યો છે કે, ભારતમાં સામૂહિક સ્તરે એટલે કોમ્યુનિટી લેવલે આ વાયરસ હજી સુધી પ્રસર્યો નથી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે દાવો કર્યો છે કે, દેશના અલગ અલગ હિસ્સામાંથી 1000 રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ એવા વ્યક્તિઓ હતા કે જે નહોતા વિદેશ ગયા કે કોઈ એવા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા જે વિદેશ ગયા હોય. આ સેમ્પલના આધારે સામે આવ્યુ છે કે, ભારતમાં હજી કોરોના વાયરસે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ નથી કે એક બીજાના સંપર્કમાં આવવાથી પ્રસરી જાય. આઈસીએમઆર દ્વારા હવે આ રીતે દર સપ્તાહે રેન્ડમ સેમ્પલ લઈને ચકાસણી કરવામાં આવશે. જેના પરિણામોના આધારે સરકાર દેશમાં કોરોના વાયરસ સામે લડવાની નીતિમાં જરૂર પડે તો ફેરફાર કરતી રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.