Western Times News

Gujarati News

માણાવદરમાં જલારામ ચેરી  ટ્રસ્ટ દ્રારા આરોગ્યવર્ધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

સમગ્ર વિશ્ર્વના દેશોમાં કોરોના વાયરસ નો કહેર વર્તાવી રહયો છે. ત્યારે માણાવદરમાં જલારામ ચેરી ટ્રસ્ટ દ્રારા રોગ પ્રતિકાર આયુર્વેદિક ઉકાળાનુ વિતરણ વિનામૂલ્યે અહીંની બજારમાં  કરવામાં આવ્યું હતુ આ ઉકાળો દરેક દુકાનદારો ,વેપારીઓ અને લોકો સુધી પહોંચી શકે તે માટે બે અલગ  અલગ ટીમ બનાવીને પહોંચાડવામાં આવ્યો હતો

જેમાં અંદાજે 500 જેટલા લોકોએ આરોગ્યવર્ધક આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો હતો આ ઉકાળા વિતરણ કાર્યક્રમમાં જલારામ ચેરી ટ્રસ્ટ ના વિજયભાઈ  મશરૂ, જગદીશભાઇ, હિમાંશુ મશરૂ તેમજ અન્ય  મિત્રો એ પોતાની સેવા આપી હતી માણાવદર પોલીસ સ્ટેશન પાસે અને કાકાજી પાન બહારપરા ખાતે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતુ આ બન્ને સ્ટૉલ પરથી પસાર થતા લોકોએ આ આયુર્વેદિક ઉકાળાનો લાભ 500 થી વધુ લોકોએ લીધો હતો આ કાર્યક્રમ પાંચ દિવસ સુધી સવારે 7 થી 8 ચલાવવામાં આવશે તેમ વિજયભાઈ મશરૂ એ જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.