Western Times News

Gujarati News

અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

અમદાવાદ જી.પી.ઓ. ની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ચીફ પોસ્ટમાસ્ટર, જનરલ પોસ્ટ ઓફિસ, સલાપસ રોડ, અમદાવાદ-380001 ખાતે 17-06-2019ના રોજ 11.30 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.

આ ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જી.પી.ઓ.ની ટપાલ સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજિસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરવામાં આવશે.

આવી ફરિયાદો તારીખ 13-06-2019 સુધીમાં ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અમદાવાદ જી.પી.ઓ, અમદાવાદ-380001ને મોકલવાની રહેશે. તારીખ 13-06-2019 બાદ આવેલી ફરિયાદો વિચારણામાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ, મુદ્દાસર એક જ વિષય પર હોવી જરૂરી છે. સામાન્ય પ્રકારની તેમજ નીતિવિષયક ફરિયાદો ધ્યાનમાં લેવાશે નહિં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.