Western Times News

Gujarati News

વર્લ્ડ કપ ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઇટ ટુ ફિનિશનો તખ્તો ગોઠવાયો

માન્ચેસ્ટર : માન્ચેસ્ટરના ઐતિહાસિક મેદાન ખાતે આવતીકાલે આઇસીસી વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલમાં ભારતીય ટીમ ન્યુઝીલેન્ડની સામે ટકરાશે. આ મેચ ફાઇટ ટુ ફિનિશ તરીકે રહે તેવી શક્યતા છે. મેચને લઇને કરોડો ચાહકો ભારે ઉત્સુક છે. ભારત પોતાની છેલ્લી મેચમાં શ્રીલંકાને હાર આપ્યા બાદ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે અને તે પોઇન્ટ ટેબલમાં ચોથા નંબર પર રહેલી ન્યુઝીલેન્ડની ટીમ સામે આવતીકાલે ટકરાશે.ભારત અને ન્યુઝીલેન્ડની ટીમો વર્તમાન વર્લ્ડ કપમાં લીગ તબક્કામાં વરસાદ પડી જવાના કારણે આમને સામને આવી શકી ન હતી. વરસાદના કારણે આ મેચ ધોવાઈ ગઈ હતી. જેથી બંને ટીમોની કસોટી થનાર છે.

સેમિફાઇનલની વાત કરવામાં આવે તો ઇતિહાસ ભારતીય ટીમની સાથે દેખાય છે. વિશ્વકપના ઇતિહાસની વાત કરવામાં આવે તો ભારતે હજુ સુધી સાત સેમિફાઇનલ મેચો રમી છે જે પૈકી ચારમાં જીત મેળવી છે જ્યારે ન્યુઝીલેન્ડે આઠ સેમિફાઇનલ મેચો રમી છે જેમાં એકમાં તેની જીત થઇ છે. જેથી ન્યુઝીલેન્ડને સેમિફાઇનલ માટેના ચોકર્સ તરીકે ગણવામાં આવે છે. ભારતીય ટીમ સાત વખત સેમિફાઇનલમાં પહોંચી છે જે પૈકી ત્રણ વખત જીત મળી છે.

૧૯૮૩, ૨૦૦૩, ૨૦૧૧માં તેની જીત થઇ છે જ્યારે ૧૯૮૭, ૧૯૯૬, ૨૦૧૫માં હાર થઇ છે. ન્યુઝીલેન્ડની ટીમ માત્ર એક વખત ૨૦૧૫માં સેમિફાઇનલમાં જીત મેળવી શકી છે. ક્રિકેટ વર્લ્ડકપમાં ૧૨માં એડિશનની મેચો ચાલી રહી છે ઓલ્ડટ્રેફર્ડ અથવા તો માનચેસ્ટર મેદાન ખાતે રમાયેલી મેચમાં ભારતે ન્યુઝીલેન્ડ સામે એક મેચ રમી છે. ૧૯૭૫માં રમાયેલી આ મેચમાં ભારતની હાર થઇ હતી. આ મેદાન પર ભારતે કુલ ૧૦ મેચો રમી છે જે પૈકી પાંચમાં જીત અને પાંચમાં હાર થઇ છે. આ મેદાન પર સર્વોચ્ચ સ્કોર પાકિસ્તાનની સામે ભારતે આજ મેદાન પર બનાવ્યો હતો. ભારતે પાંચ વિકેટે ૩૩૬ રન આજ વર્લ્ડકપમાં બનાવ્યા છે.

ડકવર્થ લુઇસ અનુસાર ભારતે આ મેચ ૮૯ રને જીતી લીધી હતી. રોહિત શર્મા આ મેદાન પર ભારત માટે સૌથી વધારે રન બનાવી ચુક્યો છે. બે મેચમાં તેના ૧૫૮ રન અને વેંકટેક્સ પ્રસાદની બે મેચમાં સૌથી વધુ સાત વિકેટ છે. રોહિત શર્મા વર્તમાન વર્લ્ડ કપમાં પાંચ સદી ફટકારી ચુક્યો છે. તે કોઇ એક વર્લ્ડ કપમાં સૌથી વધારે સદી ફટકારનાર બેટ્‌સમેન તરીકે રહ્યો છે.

તેને હજુ પણ વધુ એક સદી ફટકારી દેવાની તક રહેલી છે. આવતીકાલની મેચનુ પ્રસારણ બપોરે ત્રણ વાગે કરવામાં આવનાર છે. ટોસ મેચમાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે તેવી શક્યતા છે. વર્લ્ડ કપમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપમાં હજુ સુધી આઠ મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડની ટીમ ભારત પર સહેજમાં લીડ ધરાવે છે. ન્યુઝીલેન્ડે ભારત પર ચાર જીત મેળવી છે. ભારતે ત્રણ જીત મેળવી છે. એક મેચનુ પરિણામ આવી શક્યુ નથી. છેલ્લે વર્લ્ડ કપ ૨૦૦૩માં બંને ટીમો સામ સામે આવી હતી. એ વખતે ભારતીય ટીમે સાત વિકેટે જીત મેળવી હતી. કેપ્ટન કોહલી અને ન્યુઝીલેન્ડના કેપ્ટન વિલિયમસનની કસોટી થનાર છે. ન્યુઝીલેન્ડની પાસે પણ ધરખમ ખેલાડી છે. જેમાં માર્ટિન ગુÂપ્ટલ, મુનરો, રોસ ટેલરનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.