Western Times News

Gujarati News

સહકારી અગ્રણી દેસાઇપુરા જીનના ચેરમેન  વિઠ્ઠલભાઇ  લધાભાઇ પટેલનુ  નિધન

મોડાસા,      સહકારી ક્ષેત્ર તેમજ સામાજિક ક્ષેત્રના પીઢ અગ્રણી કે જેઓની રાજકીય કુનેહ ની નોંધ લઇ શકાય એવા અને સર્વે  જ્ઞાતિઓમાં લોકપ્રિય અને ધી દેસાઇપુરા  સહકારી જીનના ચેરમેન શ્રી,  ધી કાનપુરાકંપા સેવા સહકારી મંડળી ચેરમેન શ્રી તેમજ  બાયડ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રભાઈના  દાદા વિઠ્ઠલભાઇ લધાભાઇ પટેલનુ તા. 2/6/2019 ને રવીવારે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે.

     આ અંગે સદગતને શ્રદ્ધાંજલિ અર્પતા અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલે જણાવ્યું કે

 આદરણીય પૂ. વિઠ્ઠલદાદાના નિધનના સમાચાર જાણી ઉડા દુઃખ અને આઘાતની લાગણી અનુભવું છું.તેઓ અરવલ્લી-સાબરકાંઠાના સહકારી ક્ષેત્રે ખૂબ જ સક્રિય રહી વિવિધ સંસ્થાઓમાં સેવાઓ આપીને પોતાનું યોગદાન આપ્યું છે.તેમના નિધનથી સહકારી ક્ષેત્રમાં સારા અનુભવી સહકારી અગ્રણીની બન્ને જિલ્લાઓને ખોટ પડી છે.પરમાત્મા સદગતના આત્માને ચિર શાંતિ આપે એ જ   ઈશ્વરને પ્રાર્થના..!!!

  દરમિયાન   સદગતનું બેસણું તા. 5/6/2019 ને બુધવારે સવારે  ૮- ૦૦ થી ૧૨ -૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને  છે કાનપુરાકંપા તા.બાયડ જિ. અરવલ્લી ખાતે રાખ્યું હોવાનું તેમનાપૌત્ર  ધર્મેન્દ્રભાઇ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.