Western Times News

Gujarati News

સરદારનગર પોલીસ પર પત્થરમારો: પી આઇ ઘાયલ

અમદાવાદ, શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલાં નહેરૂનગર નજીક આજે બપોરે એક મંદિર પાસે ટોળું એકત્ર થયું હતું. એ સમયે સ્થાનિક પોલીસે ટોળાને વિખરવા જતાં કેટલાંક ઈસમોએ પોલીસની ટીમ ઉપર પત્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં પી આઇ હેમંત પટેલ સહિત કેટલાક પોલીસ જવાનો ઘાયલ થયા હતા.

બાદમાં પોલીસે ત્રણ મહિલા સહિત ૧૬ લોકોની અટકાયત કરી હતી. પથ્થરમારાની ઘટના બાદ મોટી માત્રામાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલમાં ચાલી રહેલાં લોકડાઉનનો અમલ કરાવવા જતાં પોલીસ ઉપર હુમલાઓની ઘટનામાં વધુ એકનો ઉમેરો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.