Western Times News

Gujarati News

CSIRના DGએ કોવિડ-19નો સામનો કરવા માટે ભારતીય ટેકનોલોજીના સંકલનનું લોકાર્પણ કર્યું

રાષ્ટ્રીય સંશોધન વિકાસ નિગમ દ્વારા તૈયાર કરવામાં આવેલા “કોવિડ-19નો સામનો કરવા માટે ભારતીય ટેકનોલોજીનું સંકલન (ટ્રેસિંગ, પરીક્ષણ અને સારવાર)”નું CSIRના મહાનિદેશક ડૉ. શેખર સી. માંડેએ લોકાર્પણ કર્યું હતું. આ સંકલનમાં કોવિડ-19 સંબંધિત 200 ભારતીય ટેકનોલોજી, હાલમાં ચાલી રહેલી સંશોધનની પ્રવૃત્તિઓ, વ્યાપારિકરણ માટે ઉપલબ્ધ ટેકનોલોજીઓ અને ભારત સરકાર દ્વારા અત્યાર સુધીમાં લેવામાં આવેલા પગલાંની માહિતી 3Tની શ્રેણી એટલે કે, ટ્રેસિંગ, ટેસ્ટિંગ (પરીક્ષણ) અને ટ્રીટમેન્ટ (સારવાર)માં વર્ગીકૃત કરીને બતાવવામાં આવી છે. મોટાભાગની ટેકનોલોજી પરીક્ષણના પૂરાવા સાથેની છે અને ઉદ્યોગ સાહસિકોને આ ઉત્પાદનો ઝડપથી બજારમાં લાવવા માટે મદદરૂપ થઇ શકે છે કારણ કે તેને ફરીથી સ્થાપિત કરવાની જરૂર નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.