Western Times News

Gujarati News

6 શહેરોને 5 સ્ટાર, 65 શહેરોને 3 સ્ટાર અને 70 શહેરોને 1 સ્ટાર રેટિંગ મળ્યું

એમઓએચયુએએ કચરાથી મુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરી

PIB Ahmedabad

રા કક્ષાનાં કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી હરદીપ એસ પુરીએ જાણકારી આપી હતી કે, આકારણી વર્ષ 2019-20 માટે કુલ છ શહેરોને 5-સ્ટાર (અંબિકાપુર, રાજકોટ, સુરત, મૈસુરુ, ઇન્દોર અને નવી મુંબઈ), 65 શહેરોને 3-સ્ટારનો અને 70 શહેરોને 1-સ્ટાર તરીકે સર્ટિફાઇડ કરવામાં આવ્યાં છે. જ્યારે કચરામુક્ત શહેરોના સ્ટાર રેટિંગના પરિણામોની જાહેરાત કરવામાં આવી હતી,

ત્યારે આજે શ્રી પુરીએ એક કાર્યક્રમમાં સ્ટાર રેટિંગ ઓફ ગાર્બેજ ફ્રી સિટીઝ માટે સંશોધિત આચારસંહિતા પણ પ્રસ્તુત કરી હતી. સ્ટાર રેટિંગ પ્રોટોકોલ જાન્યુઆરી, 2018માં મંત્રાલય દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો,

જેનો આશય કચરામુક્ત દરજ્જો હાંસલ કરવા શહેરો માટે એક વ્યવસ્થાને સંસ્થાકીય સ્વરૂપ આપવાનો છે અને શહેરોને વધુને વધુ સ્વચ્છતા હાંસલ કરવા માટે પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્ર અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.

મંત્રીએ મીડિયાનો સંબોધન કરતા કહ્યું હતું કે, “સ્વચ્છતા અને અસરકારક રીતે ઘન કચરાનું વ્યવસ્થાપન કરવાનું મહત્ત્વ કોવિડ-19 કટોકટીને કારણે હવે વધ્યું છે. હકીકતમાં આ કહેવામાં અતિશયોક્તિ નથી કે, છેલ્લાં પાંચ વર્ષમાં એસબીએમ-યુએ શહેરી વિસ્તારોમાં વધારે સ્વચ્છતા અને સાફસફાઈ સુનિશ્ચિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના કારણે અત્યારે સ્થિતિ વધારે વકરી નથી.

પાંચ વર્ષ અગાઉ અમે શહેરી ભારત માટે વાર્ષિક સ્વચ્છતા સર્વે સ્વચ્છ સર્વેક્ષણ (એસએસ) પ્રસ્તુત કરી હતી, જે જ્યારે સ્વસ્થ સ્પર્ધાના જુસ્સા દ્વારા શહેરી સ્વચ્છતા સુધારવાની વાત આવે છે, ત્યારે અતિ સફળ પુરવાર થયો છે.

જોકે આ રેન્કિંગ સિસ્ટમ હોવાથી આપણા કેટલાંક શહેરો ઘણી સારી કામગીરી કરતા હોવા છતાં એનું ઉચિત રીતે મૂલ્યાંકન થતું નહોતું. એટલે મંત્રાલયે કચરામુક્ત શહેરો માટે સ્ટાર રેટિંગ પ્રોટોકોલ શરૂ કર્યો હતો – જેમાં અમારી ચકાસણીની વ્યવસ્થા સમાન વિસ્તૃત માળખું બનાવવામાં આવ્યું છે,

જે દરેક શહેરના દરેક વોર્ડ માટે ઘન કચરાના વ્યવસ્થાપન (એસડબલ્યુએમ)માં 24 જુદાં જુદાં ઘટકોમાં ચોક્કસ માપદંડો હાંસલ કરવાનું જરૂરી બનાવ્યું છે અને સંપૂર્ણ હાંસલ માર્કને આધારે એને ગ્રેડિંગ આપવામાં આવે છે.” તેમણે ઉમેર્યું હતું કે, “જ્યારે ઘન કચરાના નિકાલની વાત આવે, ત્યારે અમારો ઉદ્દેશ પારદર્શકતા અને સાતત્યતા લાવવાનો છે.

આ પ્રમાણપત્ર શહેરી સ્વરાજ્ય સંસ્થાના સ્વચ્છતાના દરજ્જાને માન્યતા આપવાની સાથે ઘન કચરાનાં નિકાલની વ્યવસ્થાને મજબૂત કરે છે તેમજ સાથે સાથે આ પ્રમાણપત્ર વિશ્વસનિયતા અને ભરોસાનું પ્રતીક પણ છે, જેમાં સાર્વત્રિક માપદંડોનો ઉપયોગ થાય છે.

ઉપરાંત સ્ટાર રેટિંગ પ્રોટોકોલ અંતર્ગત શહેરોની કામગીરી મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે સ્વચ્છ સર્વેક્ષણમાં તેમના અંતિમ મૂલ્યાંકનની વાત આવે છે, ત્યારે આ નોંધપાત્ર વજન ધરાવે છે.”

પ્રોટોકોલ નહેરો અને જળાશયોની સફાઈ, પ્લાસ્ટિકના કચરાનો નિકાલ, નિર્માણ અને તોડફોડના કચરાનો નિકાલ કરવા વગેરે જેવા ઘટોક સહિત સંપૂર્ણ રીતે તમામ બાબતોનો સમાવેશ કરે છે, જે શહેરોને સ્વચ્છ અને કચરામુક્ત બનાવવા માટે મહત્ત્વપૂર્ણ પરિબળો છે. જ્યારે એસડબલ્યુએમ પર આ આચારસંહિતા મહત્ત્વપૂર્ણ છે, ત્યારે આ માળખામાં પૂર્વનિર્ધારિત પરિભાષાના સેટ દ્વારા સાફસફાઈના લઘુતમ ધારાધોરણો હાંસલ કરશે.

ઉપરાંત આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત એમઓયુએચએના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રાએ ઉમેર્યું હતું કે, “આ આચારસંહિતા સ્માર્ટ માળખા ધરાવે એવી સુનિશ્ચિતતા કરવા અમે ત્રણ તબક્કામાં આકારણી પ્રક્રિયા વિકસાવી છે.

પ્રથમ તબક્કામાં યુએલબી ચોક્કસ સમયગાળાની અંદર સપોર્ટિંગ ડોક્યુમેન્ટ સાથે પોર્ટલ પર તેમની પ્રગતિનો ડેટા આપે છે. બીજા તબક્કામાં પસંદ કરેલી અને એમઓએચયુએ દ્વારા નિયુક્ત થર્ડ પાર્ટી એજન્સી દ્વારા ડેસ્કટોપ આકારણી સામેલ છે. ડેસ્કટોપ આકારણી ક્લીઅર કરનાર શહેરોના દાવાની ચકાસણી પછી સ્વતંત્ર ફિલ્ડ સ્તરીય નિરીક્ષણ દ્વારા થાય છે.

સ્ટાર રેટિંગ આકારણીના તાજેતરનાં તબક્કામાં 1435 શહેરો સામેલ કરવામાં આવ્યાં છે. આ આકારણી દરમિયાન 1.19 કરોડ નાગરિકોના પ્રતિભાવ મેળવવામાં આવ્યાં હતાં અને 10 લાખથી વધારે જીયો-ટેગ પિક્ચર એકત્ર કરવામાં આવ્યા હતાં અને 5175 સોલિડ વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત 1210 ફિલ્ડ એસેસ્સર્સે લીધી હતી.

જ્યારે 698 શહેરોએ ડેસ્કટોપ એસેસ્સમેન્ટ ક્લીઅર કરી હતી, ત્યારે 141 શહેરોને ફિલ્ડ આકારણી દરમિયાન સ્ટાર રેટિંગ સાથે સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. ઓછો ક્રમ ધરાવતું સર્ટિફિકેશન પ્રોટોકોલની મજબૂત અને કડક સર્ટિફિકેશન વ્યવસ્થા સૂચવે છે.”

સ્ટાર રેટિંગ માળખા માટે સંશોધિત આચારસંહિતા પ્રસ્તુત કરીને શ્રી મિશ્રાએ સમજાવ્યું હતું કે, “અમારો પ્રયાસ શહેરોમાંથી પ્રાપ્ત પ્રતિભાવને આધારે માળખાનો સતત પુનર્વિચાર કરવામાં આવે છે અને એને મજબૂત કરવામાં આવ્યું છે.

નવી આચારસંહિતા 50 લાખથી વધારે વસ્તી ધરાવતકા શહેરોમાં વોર્ડમુજબ જીયો-મેપિંગનો વિચાર કરશે, સ્વચ્છ નગર એપ જેવા આઇસીટી હસ્તક્ષેપો દ્વારા એસડબલ્યુએમ મૂલ્ય સાંકળ પર નજર રાખવશે અને ઝોન મુજબ રેટિંગ આપે છે.”

સ્વચ્છ ભારત અભિયાન-શહેરી (એસબીએમ-યુ) વર્ષ 2014માં શરૂ થયા પછી અત્યાર સુધી સેનિટેશન અને ઘન કચરાના નિકાલ એમ બંનેમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ કરી છે. અત્યારે 4324 શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ (યુએલબી)ને ઓડીએફ (4204 સર્ટિફાઇડ ઓડીએફ), 1306 શહેરોને સર્ટિફાઇડ ઓડીએફ+ અને 489 શહેરોને સર્ટિફાઇડ ઓડીએફ++ જાહેર કરવામાં આવ્યાં છે. ઉ

66 લાખ કુટુંબમાં શૌચાલયો અને 6 લાખથી વધારે સામુદાયિક/જાહેર શૌચાલયોનું નિર્માણ થયું છે/અથવા નિર્માણ ચાલી રહ્યું છે. ઘન કચરાના નિકાલના ક્ષેત્રમાં 96 ટકા વોર્ડ 100 ટકા ડોર-ટૂ-ડોર કલેક્શન ધરાવે છે, ત્યારે કુલ પેદા થતાં કચરાનાં 65 ટકા હિસ્સાનું પ્રોસેસિંગ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.