Western Times News

Gujarati News

આશ્રમ રોડ: સાકાર-7માં ભયંકર આગ: એક વ્યક્તિનું કૂદી પડતાં મોત

અમદાવાદ,

આશ્રમ રોડનાં નહેરુબ્રિજ પાસે સાકાર 7 કોમ્પ્લેકસનાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઈલેક્ટ્રીક મીટરની ડકમાં બપોરે 2.30 વાગ્યાનાં સુમારે લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેનાં પગલે કોમ્પ્લેક્સની 40 ટકા ઓફીસો આગનાં ધુમાડાની ઝપેટમાં આવી હતી. આ બનાવને પગલે 40થી વધુ લોકો કોમ્પલેક્ષનાં ટેરેસ પર જઇ ચડતા તેઓ ત્યાં જ ફસાઇ ગયા હતાં. આગનાં બનાવને પગલે ડરી ગયેલા યુવકે ચોથા માળેથી છલાંગ લગાવતા તેનું મોત થયું હતું.

આ બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગને કાબુમાં લીધી હતી. જોકે વિકરાળ બનેલી આગના ધુમાડાની અસર સમગ્ર કોમ્પ્લેક્સમાં ફેલાઈ હતી. આગના આ બનાવમાં વસ્ત્રાલ ખાતે વ્રજવિહારમાં રહેતો યુવક જયદીપસિંહ ચાવડા પણ ફસાયો હતો. જયદીપસિંહ તેના મિત્રની ટ્રાવેલ્સની ઓફીસે કામ અર્થે આવ્યો હતો. અચાનક આગ લાગતા ધુમાડાની અસરથી ડરી ગયેલા જયદીપસિંહ એ ચોથા માળેથી નીચે પાર્કિંગમાં ઝપલાવ્યું હતું. જયદીપસિંહને સારવાર માટે લઈ જતાં ફરજ પરના ડૉકટરે મૃત જાહેર કર્યો હતો. પોકિસ અને ફાયરના જવાનોએ 40 જેટલા લોકોને બચાવી લીધા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.