Western Times News

Gujarati News

ભરૂચ જીલ્લામાં વરસાદી માહોલ જામ્યો: ખુલ્લી ગટરો વાહનચાલકો માટે જીવલેણ

વરસાદ ના વિરામ બાદ પણ ભરૂચમાં જળબંબાકાર 

ફાટાતળાવ,ચારરસ્તા ઉપર ઘુંટણ સમા પાણી : બજાર માં આવતા લોકો ની હાલત કફોડી.

ચોમાસાના ચાર મહિના ઘર માં જ કેદ થવું પડે છે : સ્થાનિકો નો હુંકાર.

વરસાદ માં વરસાદી પાણી સાથે ડ્રેનેજ લાઈન નું પાણી જાહેરમાર્ગ ઉપર પસાર થતા ભયકંર રોગચાળો ફાટી નીકળવાની દહેશત.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા માં ધીરે ધીરે વરસાદી માહોલ જામી રહ્યો છે.ત્યારે મોડી રાત્રી થી વહેલી સવાર સુધી સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો માં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી.ભરૂચ માં ફાટાતળાવ અને ચાર રસ્તા ના જાહેરમાર્ગો ઉપર ખુલ્લી ગટરો વાહનચાલકો અને રાહદારીઓ માટે જીવલેણ બની હતી.ત્યારે ભરૂચ નગર પાલિકા ની પ્રિમોન્સુન કામગીરી ની પોલ પ્રથમ વરસાદ થી ખુલ્લી થઈ જતા લોકો એ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

ભરૂચ જીલ્લા માં ગત મોડી રાત્રી થી અચાનક વાતાવરણ માં પલ્ટો આવતા ઝરમરીયા વરસાદ બાદ મુશળધાર વરસાદ વરસતા ભરૂચ માં ઠંડક પ્રસરી જવા સાથે નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાઈ જવાથી કેટલાક લોકોએ જાગરણ ની રાત વીતાવાનો વાળો આવ્યો હતો.

સવાર સુધી વરસેલા મુશળધાર વરસાદ ના કારણે ભરૂચ ના સતત વાહનો થી ધમધમતા પાંચબત્તી સર્કલ નજીક ગાર્ડન મસ્જીદ નજીક ની ખુલ્લી ગટર જામ થઈ જવાના કારણે સતત પાણીનો ભરાવો થયો હતો.જોકે આ સમસ્યા પણ ભરૂચ નગર પાલિકા હલ કરી શકી નથી.ચોમાસા ના ચાર મહિના ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં પાણી ભરાઈ રહેવાના કારણે વાહનચાલકો,રાહદારીઓ સહીત આસપાસ ની દુકાનદારોને હાલાકી નો સામનો કરવો પડતો હોય છે અને જાહેરમાર્ગ ઉપર ખુલ્લી કાંસ ની કુંડી વાહન ચાલકો માટે પણ અકસ્માત ને આમંત્રણ આપતી સાબિત થઈ રહી છે.

તો બીજી તરફ ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર ના ફાટા તળાવ અને ચાર રસ્તા માં ઘૂંટણ અને કમરસમા પાણી જાહેરમાર્ગો ઉપર થી પસાર થતા ભરૂચ ના આ વિસ્તાર ના લોકો ની હાલત પણ કફોડી બની છે.ત્યારે જાહેરમાર્ગો ઉપર થી વરસાદી પાણી વરસાદ ના વિરામ બાદ પણ વહેતું રહેતા ખુલ્લી ગટરો પણ વાહનચાલકો અને રાહદારીઓ ને પાણી ના વહેણ માં ન દેખાતી હેવાના કારણે ખુલ્લી કાંસો પણ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે.ત્યારે ચાર રસ્તા અને ગાંધી બજાર ના જાહેરમાર્ગો ઉપર થી પસાર થતું વરસાદી પાણી માં ખુલ્લી કાંસો પણ દુકાનદારો અને ખરીદી અર્થે આવતા ગ્રાહકો ને જીવલેણ બની રહી છે.

ત્યારે ચોમાસા ના ચાર મહિના તો ફાટાતળાવ થી ફુરજા ચાર રસ્તા સુધી ના લોકો એ ઘર માં જ પુરાઈ રહેવાનો વાળો આવી રહ્યો છે.ત્યારે ભરૂચ નગર પાલિકા ને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણી ના નિકાલ ની સમસ્યા માથા ના દુખાવા સમાન બની ગઈ છે અને ચોમાસા ના ચાર મહિના આ વિસ્તારો માં વરસાદી પાણી જાહેરમાર્ગો ઉપર થી પસાર થઈ રહ્યું હોવાના કારણે બાળકો માટે પણ જોખમી બની રહ્યું છે.ત્યારે ભરૂચ નગર પાલિકા કાંસ સફાઈ માં સદંતર નિષ્ફળ નીવડી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

ભરૂચ નગર પાલિકાની પ્રિમોન્સુન કામગીરી માં વેઠ ઉતારાઈ હોવાના વિપક્ષના આક્ષેપ.
દર ચોમાસાની ઋતુ પૂર્વે ભરૂચ નગર પાલિકા દ્વારા શહેર ની ૨૯ જેટલી કાંસો ની સફાઈ માટે લાખો રૂપિયા નું આંધણ કરવામાં આવતું હોય છે.છતાં પણ નીચાણવાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા યથાવત રહેતી હોય છે.ત્યારે ભરૂચ માં વરસાદી ઋતુ નો પ્રારંભ થતા જ ફાટાતળાવ,ડભોઈયાવાડ,ગાંધી બજાર,ચાર રસ્તા,પાંચબત્તી,સેવાશ્રમ રોડ,દાંડિયા બજાર સહિત ભરૂચ ના અનેક વિસ્તારો માં વરસાદ ના વિરામ બાદ પણ સતત પાણી ભરાઈ રહેતા લોકો એ પણ કોરોના મહામારી ના સમયે વધુ એક રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વ્યક્ત કરવા સાથે ભરૂચ નગર પાલિકા ની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ ઉપર દેખાડવામાં આવે છે,પરંતુ ભરૂચ માં વરસાદી પાણી ની સમસ્યા યથાવત રહી છે અને કાંસ સફાઈ ના નામે લાખો રૂપિયા નું આંધણ કરાતું હોય તેવા પણ આક્ષેપો વિપક્ષીઓ કરી રહ્યા છે.

ભરૂચ જીલ્લામાં સાર્વત્રિક છુટોછવાયો વરસાદ. આમોદમાં ૧૨ મી.મી, અંકલેશ્વરમાં ૭ મી.મી, ભરૂચમાં ૧૫ મી.મી,
હાંસોટમાં ૧ ઈંચ, જંબુસરમાં ૬ મી.મી, નેત્રંગમાં ૯ મી.મી, વાગરામાં ૨૦ મી.મી, વાલિયામાં ૧૬ મી.મી, ઝઘડિયામાં ૭ મી.મી

ભરૂચ માં ગત મોડી રાત્રી થી સવાર સુધી સતત વરસાદ વરસતા ભરૂચ ના તમામ નીચાળવાળા વિસ્તારો માં જળબંબાકાર ના દ્રશ્યો સર્જાયા હતા.તો ફાટાતળાવ,ડભોઈયાવાડ,ગાંધી બજાર,ચારરસ્તા,પાંચબત્તી,સેવાશ્રમ રોડ,દાંડિયા બજાર સહિત ભરૂચ ના અનેક વિસ્તારો માં વરસાદ ના વિરામ બાદ પણ સતત પાણી ભરાઈ રહેતા લોકો એ પણ કોરોના મહામારી ના સમયે વધુ એક રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સાથે ખુલ્લી કાંસો પણ જીવલેણ બની રહી છે.જે તસ્વીર માં વિવિધ વિસ્તારો માં સર્જાયેલા જળબંબાકાર ના દ્રશ્યો નજરે પડી રહ્યા છે.(તસ્વીર : વિરલ રાણા,ભરૂચ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.