Western Times News

Gujarati News

લાંભાની પૂજા રેસિડેન્સી સોસાયટીમાં એક જ પરિવારના 6 સભ્યો કોરોનાની ઝપટમાં

Files Photo

( દેવેન્દ્ર શાહ) અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યાં છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શુક્રવારે વધુ 17 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટમાં કોન્ટેક્ટ ટ્રેસીંગ પણ થઈ રહ્યા હોવાથી એકજ પરિવાર કે સોસાયટીના સભ્યો પોઝિટિવ હોય તેવા કિસ્સા વધી રહ્યા છે.

શહેરના CTM વિસ્તારના એક ફ્લેટમાંથી ૧૦ કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ ગત સોમવારે ઇસનપુર વિસ્તારની એક સોસાયટીમાં એક જ પરિવારના સાત સભ્યો પોઝિટિવ આવ્યા હતા. જયારે શુક્રવારે લાંભા વોર્ડમાં પણ એક જ પરિવારના 06 સભ્યો કોરોના પોઝિટિવ જાહેર ખળભળાટ મચી ગયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા સોસાયટીના 18 મકાનોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.

શહેરના લાંભા વોર્ડમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. શુક્રવારે એન્ટીજન ટેસ્ટિંગ દરમ્યાન પૂજા રેસિડેન્સીમાં એક જ પરિવાર ના 06 સભ્યો પોઝીટીવ કન્ફર્મ થયા છે. પોઝીટીવ કેસમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનન ઘ્વારા સોસાયટીના 18 મકાનને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરીને સીલ કરવામાં આવ્યા છે.લાંભા વોર્ડમાં શ્રીનાથ હાઈટ્સ માં કોરોનાના દસ તેમજ નીલકંઠ એપાર્ટમેન્ટમાંથી 02 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જયારે શાહવાડી વિસ્તારમાં આવેલા આંબેડકરનગરમાં 13 કેસ કન્ફર્મ થયા હતા. જયારે ઇસનપુર- વટવા રોડ પર આવેલી પ્રેરણા સોસાયટી માં એક જ પરિવારના 07 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

જયારે સોસયટીમાંથી 20 કરતા વધુ પોઝીટીવ કેસ મળી આવ્યા હતા.. તેથી સોસાયટીના 100 જેટલા પરિવારને માઈક્રો કન્ટેનમેન્ટ માં મૂકવામાં આવ્યા છે.પ્રેરણા સોસાયટીની બાજુમાં આવેલી નમ્રતાપાર્ક સોસાયટીમાં પણ પોઝીટીવ કેસ વધી રહ્યા છે.

લાંભા વૉર્ડના કોંગી આગેવાન રાજેશ સોનીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોરોના પોઝીટીવ ના આંકડા અને વિગતો સમયસર જાહેર કરવામાં આવતા નથી. જે દિવસે પોઝીટીવ કેસ આવ્યા હોય તેના ચાર-પાંચ દિવસ બાદ ટુકડે ટુકડે વિગત જાહેર થાય છે.લાંભા અને ઇસનપુરમાં કોરોનાના કેસ સતત વધી રહયા છે. ઇસનપુર ના તબીબ નું કોરોનાના કારણે મૃત્યુ થયું છે તે પણ હજી જાહેર કરવામાં આવ્યું નથી. ઇસનપુરમાં છેલ્લા 10 દિવસ દરમ્યાન 100 જેટલા કેસ નોંધાયા છે.પરંતુ તંત્ર ઘ્વારા સમગ્ર દક્ષિણઝોનમાં 09દિવસમાં 198 કેસ જ નોંધાયા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.