Western Times News

Gujarati News

એક દિવસમાં ૨૭,૧૧૪ નવા કેસ,૨૪ કલાકમાં ૫૧૯ લોકોનાં મોત

નવીદિલ્હી, દેશમાં હવે કોરોના વાયરસના કેસ આઠ લાખથી વધી ગયા છે. શનિવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સુધી દેશમાં કુલ ૨૭,૧૧૪ નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આ દરમિયાન દેશમાં ૫૧૯ લોકોનાં મોત થયા છે, જ્યારે ૧૯,૮૭૩ લોકો સાજા થયા છે.
કોરોના વાયરસ અંગે શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં કુલ સક્રિય કેસ ૨,૮૩,૪૦૭ છે. જ્યારે ૫,૧૫,૩૮૫ લોકો સાજા થયા છે. કુલ મૃતકોની સંખ્યા ૨૨,૧૨૩ થઈ છે. ૧૦ જુલાઇ સુધી કોવિડ ૧૯ના કુલ ૧,૧૩,૦૭,૦૦૨ સેમ્પલની ચકાસણી કરવામાં આવી છે. જેમાંથી ૧૦મી જુલાઈના રોજ ૨,૮૨,૫૧૧ સેમ્પલ તપાસવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.