Western Times News

Gujarati News

પ્રિયંકા ગાંધીએ કહ્યુ, 1 ઓગસ્ટ સુધીમાં સરકારી બંગલો ખાલી કરી દઈશ

File

નવી દિલ્હી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાધીએ આજે કહ્યુ છે કે, નવી દિલ્હીમાં લોધી એસ્ટેટ વિસ્તારમાં આવેલો સરકારી બંગલો 1 ઓગસ્ઠ સુધીમાં ખાલી કરી દઈશ. પ્રિયંકા ગાંધીએ એ અહેવાલને નકારી કાઢ્યો છે જેમાં કહેવામાં આવ્યુ છે કે, પ્રિયંકાએ કરેલા આગ્રહ બાદ સરકારે તેમને આ બંગલામાં થોડો વધારે સમય રહેવા માટે સંમતિ આપી છે.

પ્રિયંકાએ કહ્યુ હતુ કે, આ ફેક ન્યૂઝ છે.મેં સરકારને કોઈ આગ્રહ કર્યો નથી.સરકારે મને જે નોટિસ મોકલી છે તે પ્રમાણે 1 ઓગષ્ટ સુધીમાં હું સરકારી મકાન ખાલી કરી દઈશ. કોંગ્રેસના સૂત્રોનુ કહેવુ છે કે, પ્રિયંકા ગાંધી યુપીના પ્રભારી હોવાથી હવે તે વધારે સમય યુપીમાં જ પસાર કરશે અને લખનૌમાં ગોખલે માર્ગ પર આવેલા મકાનમાં તે રહેશે.આ મકાન હાલમાં ખાલી છે અને તેનુ સમારકામ ચાલી રહ્યુ છે. આ મકાન શીલા કૌલનુ છે.જે દેશના પહેલા પીએમ નહેરુના ભાભી હતી અને 2015માં તેમનુ નિધન થયુ હતુ. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ગાંધીની ઝેડ પ્લસ સિક્યુરિટી સરકારે હટાવી લીધી છે અને જ્યારે આ કેટેગરીની સુરક્ષા ના હોય તો મકાનની સુવિધા મળતી નથી.જેના પગલે સરકારે પ્રિયંકાને બંગલો ખાલી કરવા માટે નોટિસ આપી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.