Western Times News

Gujarati News

કટપ્પાનો રોલ બોલિવુડના આ સિતારાને કરાયો હતો ઑફર

મુંબઈ: અભિનેતા પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલી ખૂબ જ ચર્ચામાં છે. ફિલ્મે બાૅક્સ ઑફિસ કલેક્શનથી લઈને સમીક્ષકોના રિવ્યુમાં સારું પ્રદર્શન કર્યું. ફિલ્મમાં પ્રભાસ એટલે કે મહેન્દ્ર બાહુબલીના પાત્રની સાથે સાથે વધુ એક પાત્ર ખૂબ જ જાણીતું થયું હતું, જે છે કટપ્પાનું. કટપ્પાનું પાત્ર ખૂબ જ લોકપ્રિય થયું, જે હંમેશા યાદ રાખવામાં આવશે. કટપ્પાને લઈને એક પ્રશ્ન પણ ખૂબ જ વાયરલ થયો હતો અને તે છે – કટપ્પાને બાહુબલી કો ક્યોં મારા?

કટપ્પાનું પાત્ર ન ફક્ત ફેમસ થયું, પણ આ પાત્ર ભજવનાર અભિનેતાના વખાણ પણ થયા. પણ, શું તમે જાણો છો કે કટપ્પાનું પાત્ર પહેલા બોલિવુડના સીનિયર એક્ટરને ઑફર થયો હતો. જાે સોશિયલ મીડિયા રિએક્શન જાેઈને ખ્યાલ આવે છે કે તે ખૂબ જ ફિટ પણ બેસે છે. હકીકતે, કટપ્પાનું પાત્ર સંજય દત્તને ઑફર કરવામાં આવ્યું હતું, પણ વાત ન બની.

ત્યાર બાદ એક્ટર સત્યરાજે કટપ્પાનું પાત્ર ભજવ્યું અને તે ખૂબ જ લોકપ્રિય થયું. કહેવામાં આવે છે કે જ્યારે કટપ્પાના રોલ માટે સંજય દત્ત સાથે સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તે જેલમાં પોતાની સજા કાપી રહ્યા હતા. આ કારણે તેમણે આ રોલ છોડી દીધો હતો, પણ જાે સંજય દત્તે કટપ્પાનું પાત્ર ભજવ્યું હોત તો કેવા લાગ્યા હોત… આમ તો સંજય દત્ત ઘણીવાર નેગેટિવ પાત્ર ભજવી ચૂક્યા છે, એવામાં સંજય દત્ત પણ કટપ્પાના પાત્રમાં લોકપ્રિય થઈ શક્યા હોત.

આ પહેલા સંજય દત્તે ‘અગ્નિપથ’માં કાંચા ચીનાનું પાત્ર ભજવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય થયું હતું. તાજેતરમાં ‘પાનીપત’માં અહમદ શાહ અબ્દાલીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તે ખલનાયક તરીકે ઘણાં યોગ્ય લાગતાં હતા. આ ફિલ્મના દરેક પાત્રને ભરપૂર પ્રમે મળ્યો હતો અને કહેવામાં આવે છે કે શિવગામીનું પાત્ર પણ પહેલા દિવંગત શ્રીદેવીને ઑફર કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.