Western Times News

Gujarati News

નડિયાદની શ્લોક હોસ્પિટલમાંથી સાત દર્દીઓને રજા અપાઇ

ખેડા જિલ્લાના નડિયાદ શહેરમાં આવેલ શ્લોક હોસ્પિટલમાંથી ૪૪ વર્ષીય યાસ્મીનબેન યાકુબભાઇ સિંધી , નડિયાદના ૬૨ વર્ષીય વિરેન્દ્રભાઇ એ . પટેલ , નડિયાદના ૪૮ વર્ષીય અખ્તરહુસેન એસ મુન્સી , નડિયાદના ૭૪ વર્ષીય જશવંતભાઈ કે . શાહ , નડિયાદના ૪૯ વર્ષીય જીતેન્દ્રભાઇ એસ . પટેલ ( આઝાદ ) , હરીયાળાના ૫૧ વર્ષીય શ્રી યાકુબભાઇ એમ . સિંધી અને નડિયાદના ૩૭ વર્ષીય અંકિત જે શાહને કોરોના વાયરસ સારવાર માટે નડિયાદ શ્લોક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા . તેઓની નિયત સારવાર થયેલ હોઇ આજે તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી . તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા તમામને ગુલાબ અર્પણ કરી તેમના સારા સ્વાથ્ય અંગે શુભેચ્છા આપવામાં આવી હતી . આ પ્રસંગે હોસ્પિટલના ડોક્ટર શ્રી એન.ટી.શાહ તથા હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહયો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે , આજે નડિયાદની એન.ડી. દેસાઇ હોસ્પિટલમાંથી પણ અન્ય બે દર્દીઓને રજા આપવામાં આવેલ હતી

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.