Western Times News

Gujarati News

વિશાખાપટ્ટનમમાં પિતાએ ૪૦ વર્ષના પુત્રની હત્યા કરી

હૈદરાબાદ, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સંપતિના વિવાદના કારણે પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરી છે પિતાનું નામ વીરા રાજુ છે પિતા વીરાએ પુત્રના માથાના પાછળના ભાગે હથોડાના અનેક ઘા મારી હત્યા કરી હતી પુત્ર દત્યાં જ જમીન પર ઢળી પડયો હતો પુત્રની હત્યા કરી પિતા પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો પોલીસે આ ઘટનાના સીસીટીવી ફુટેજ લઇને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર બંન્ને પિતા પુત્ર વચ્ચે ઘણા લાંબા સમયથી સંપત્તિને લઇને વિવાદ ચાલી રહ્યો હતો હાજી એક દિવસ પહેલા જ આ વિવાદને લઇને બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર પિતા વીરાએ પુત્ર જલરાજુની હત્યા કરી છે હત્યાના આરોપી પિતાએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો અમે પિતા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો આરોપી વીરાને હાલમાં જયુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

પુત્રની ઘાતકી હત્યાની આ ઘટના ઘરના પાર્કિગ પાસે જ બની હતી વીરાનો ૪૦ વર્ષનો પુત્ર એક ટેબલ પર બેઠો હતો થોડીવાર બાદ પિતા વીરા ત્યાં પહોંચ્યા હતાં પુત્રની પીઠ પિતા વિરાની સામે હતી એટલે કે પુત્ર તે ન જાેઇ શકતો હતો કે પિતા શું કરી રહ્યાં છે પિતા વીરાના હાથમાં એક હથોડો હતો ત્યારબાદ પિતાએ પુત્રના માથાના પાછળના ભાગે હથોડાના અનેક ઘા માર્યા હતાં. અને પુત્રની કરપીણ હત્યા કરી દીધી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.