Western Times News

Gujarati News

સરદારનગરમાં મધરાત્રે આધેડની હત્યા

આરોપીની

શોધખોળ 

પત્નિ આડા સંબંધની આશંકાથી

ઉશ્કેરાયેલા પતિએ પ્રેમી યુવકના

પિતા પર જીવલેણ હુમલો કર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ 05062019: અમદાવાદ શહેરમાં હત્યા અને હુમલાની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેરના સરદારનગર વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે હત્યાની ચોંકાવનારી ઘટના ઘટી છે જેમાં પુત્રના પર સ્ત્રી સાથેના આડા સંબંધોની તકરારમાં પરિણીતાના પતિએ આધેડ ઉપર હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા તેનું મોત નીપજયું હતું હત્યા કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો છે

સરદારનગર પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે છેલ્લા એક વર્ષથી આ મુદ્દે બે પરિવારો વચ્ચે તકરારો ચાલતી હતી અને તેમાં સમાધાનના પ્રયાસો પણ થઈ રહયા હતા પરંતુ ઉશ્કેરાયેલા યુવકે હત્યા કરી નાંખતા હવે સમગ્ર ઘટના લોહીયાળ બની ગઈ છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા જી વોર્ડમાં ઠાકોરવાસમાં રહેતા અમરાજી ભાનુજી ઠાકોરના પુત્રના મુદ્દે છેલ્લા ઘણા સમયથી પાડોશમાં જ રહેતા સુરેશ ઠાકોર નામના શખ્સ સાથે તકરાર ચાલતી હતી અમરાજીના પુત્રના સુરેશ ઠાકોરની પત્નિ સાથે આડા સંબંધોની ચર્ચાથી બંને પરિવારો વચ્ચે મનદુઃખ થયું હતું અને અવારનવાર ઝઘડા પણ થતાં હતા જાકે આ બંને પરિવારો એકબીજાના સંબંધી છે

તેમ છતાં તકરારો થતી હોવાથી સમાજના આગેવાનો વચ્ચે પડયા હતા અને આ મુદ્દે સમાધાન કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી સુરેશ ઠાકોરની પત્ની સાથે અમરાજીના પુત્રના આડા સંબંધો હોવાની શંકાથી કોઈપણ સમયે આ ઘટના લોહીયાળ સ્વરૂપ ધારણ કરે તેવી દહેશત સેવાતી હતી વારંવાર તકરારોથી તંગ આવી જઈ સુરેશ ઠાકોરની પÂત્ન રિસાઈને પિયર જતી રહી હતી.

પિયરમાં રિસામણે બેઠેલી પત્નિ મનાવીને ઘરે લાવવા માટે સુરેશ ઠાકોરે પ્રયાસો શરૂ કર્યા હતા પરંતુ તે માનતી ન હતી જેના પરિણામે સુરેશ ઠાકોર વધુ ઉશ્કેરાયો હતો ગઈકાલે રાત્રે અમરાજી ઠાકોર અને તેની પત્નિ નિત્યક્રમ મુજબ ઘરમાં સુઈ ગયા હતા આ દરમિયાનમાં રાત્રે ર.૦૦ વાગ્યાની આસપાસ સુરેશ ઠાકોર તેના ઘરે પહોંચ્યો હતો અને આ મુદ્દે તેમની સાથે તકરાર કરવા લાગ્યો હતો જાકે આ સમયે અમરાજીનો પુત્ર ઘરમાં હાજર ન હતો અમરાજીની પત્નિ પણ વચ્ચે પડી સુરેશ ઠાકોરને શાંત પાડવાના પ્રયાસો કરતી હતી

પરંતુ સુરેશ ઠાકોર વધુ ઉશ્કેરાયો હતો અને અમરાજી અને તેની પત્નિ પર હુમલો કરતા સમગ્ર વાસમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને લોકો અમરાજી ઠાકોરના ઘર પાસે પહોચી ગયા હતા આ દરમિયાનમાં સુરેશ ઠાકોરે અમરાજીના ઘરના ખુણામાં પડેલો ખાટલાનો પાયો ઉઠાવ્યો હતો અને અમરાજીના માથામાં જાશથી મારતાં લોહીલુહાણ હાલતમાં અમરાજી ઢળી પડયા હતા આ ઘટનાથી ભારે ઉહાપોહ મચી જતા સુરેશ ઠાકોર ત્યાંથી ભાગી છુટયો હતો

આ દરમિયાનમાં સ્થાનિક નાગરિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા તાત્કાલિક ગંભીર હાલતમાં રાત્રે ર.૦૦ વાગ્યાની આસપાસ અમરાજીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જયાં ટુંકી સારવાર દરમિયાન જ વહેલી સવારે ૪.૦૦ વાગ્યાની આસપાસ તેઓનું મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં સરદારનગર પોલીસ પણ હોસ્પિટલમાં પહોચી ગઈ હતી અને મૃતક અમરાજીના પત્નિની પુછપરછ કરતા તેમણે સમગ્ર ઘટના જણાવી હતી અમરાજીની પત્નિ નિવેદનના આધારે પોલીસે સુરેશ ઠાકોર વિરૂધ્ધ ખુનનો ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.