Western Times News

Gujarati News

ભારતનો પ્રવાસ ન ખેડવા અમેરિકાની નાગરિકોને સૂચના

ટ્રમ્પ સરકારે ભારતને યુદ્ધગ્રસ્ત સિરિયા અને આંતકગ્રસ્ત પાક.ની કેટેગરીમાં મૂક્યુંઃ કોરોના-આતંકનું કારણ ધર્યું
વોશિંગ્ટન,  અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા ન કરવાની સલાહ આપી છે. અમેરિકાએ આનુ કારણ ભારતમાં કોરોના સંકટ, અપરાધ અને આતંકવાદ જણાવ્યું છે. એટલુ જ નહીં અમેરિકાએ ભારતની યાત્રા માટે રેટિંગ ફોર નિર્ધારિત કર્યુ છે જેને સૌથી ખરાબ માનવામાં આવે છે. આ શ્રેણીમાં ભારત સિવાય યુદ્ધગ્રસ્ત સિરિયા, આતંકવાદનું કેન્દ્ર પાકિસ્તાન, ઈરાન, ઈરાક અને યમન સામેલ છે.

અમેરિકાએ કહ્યું કે ભારતમાં કોરોના સંકટ છે. આ સિવાય દેશમાં અપરાધ અને આતંકવાદમાં તેજી આવી છે. તેથી અમેરિકી નાગરિક ભારતની યાત્રા ન કરે. અમેરિકાએ પોતાની એડવાઈઝરીના કેટલાક અન્ય કારણોમાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધ અને ઉગ્રવાદને પણ કારણ જણાવ્યું છે. ઈન્ડિયન ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી સંઘએ ભારત સરકારને અરજી કરી છે કે તે અમેરિકા સરકાર પાસેથી ટ્રાવેલ એડવાઈઝરીને બદલવા માટે દબાણ કરે.

ફેથે કહ્યુ કે સરકાર આને પ્રાથમિકતાના આધારે ઉઠાવે જેથી દેશ વિશે બની રહેલી નકારાત્મક છબીને રોકવામાં આવી શકે. ફેથે કહ્યુ કે આ સમય પર્યટન ઉદ્યોગ કોરોના મહામારીના કારણે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યો છે અને જલ્દી જ ભારતમાં આ ઉદ્યોગ ફરીથી શરૂ કરવા જઈ રહ્યા છે. ૨૩ ઓગસ્ટે જારી આ ટ્રાવેલ એડવાઈઝરીમાં ભારત સિવાય પાકિસ્તાન, સીરિયા, યમન, ઈરાન અને ઈરાક જેવી હિંસા પ્રભાવિત દેશોને સામેલ કરવામાં આવ્યા છે.

ભારતમાં પર્યટન ઉદ્યોગ માટે અમેરિકી પર્યટક દરેક મોસમમાં ઘણુ મહત્વના રહ્યા છે. એટલુ જ નહીં અમેરિકાથી આવનારા પર્યટક અન્ય દેશોની તુલનામાં સૌથી વધારે સમય સુધી ભારતમાં રહે છે. અમેરિકી પર્યટક જ્યાં ૨૯ દિવસ સુધી રહે છે ત્યાં અન્ય દેશોના લોકો ૨૨ દિવસ સુધી રહે છે. ફેથે કહ્યુ કે જો અમેરિકા સરકાર ભારતના પક્ષમાં ટ્રાવેલ એડવાઈઝરી જારી કરે છે તો આ ભારતમાં મુસાફરીને લઈને એક સારો માહોલ પેદા કરશે. આનાથી કોરોનાથી બંધ પડેલા પર્યટન ઉદ્યોગને ઘણી રાહત મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.